Nursing Home ની મનમાની; પહેલા છુપાવ્યો નવજાત બાળકને, પછી આઈસ-બોક્સમાં આપી લાશ – માતાએ પણ દમ તોડ્યો

0
108
Nursing Home ની મનમાની; પહેલા છુપાવ્યો નવજાતને, પછી આઈસ-બોક્સમાં આપી લાશ - માતાએ પણ દમ તોડ્યો
Nursing Home ની મનમાની; પહેલા છુપાવ્યો નવજાતને, પછી આઈસ-બોક્સમાં આપી લાશ - માતાએ પણ દમ તોડ્યો

Nursing Home: ઉત્તરપ્રદેશના ફતેહપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડિલિવરી પછી નવજાતને નર્સિંગ હોમમાં છુપાવી દીધું. મહિલાની તબિયત બગડતાં તેને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જ્યારે મહિલાનું મૃત્યુ થયું ત્યારે રોષે ભરાયેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલના સંચાલકે નવજાતનો મૃતદેહ આઈસ બોક્સમાં પેક કરીને પરિવારજનોને મોકલી આપ્યો.

Nursing Home ની વાત CMO ઓફીસ સુધી પહોંચી

સીએમઓએ બેદરકારી રાખવા બદલ નર્સિંગ હોમને સીલ કરી દીધું છે અને સંચાલકોની શોધ ચાલુ છે. સુલતાનપુર ઘોષ પોલીસ સ્ટેશન વિસ્તારના પટરિયા ચક અબ્દુલ્લાપુરના રહેવાસી પિતામ્બરની પત્ની ઉર્મિલા (26)ને 15 એપ્રિલે પ્રસૂતિની પીડાને કારણે નૌવાબાગના નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી હતી.

16 એપ્રિલે તેમનું ઓપરેશન થયું હતું. ઓપરેશન બાદ મહિલાની તબિયત બગડતી જોઈને ડોક્ટરે ડિલિવરીની વાત છુપાવી અને તેને કાનપુર રિફર કરી. કાનપુરમાં ડોક્ટરે મહિલાની ડિલિવરી અંગે પરિવારને જાણ કરી હતી. ગુરુવારે સાંજે સારવાર દરમિયાન જ મહિલાનું મૃત્યુ થયું હતું.

માતાના મોત બાદ નવજાત પણ ન સોંપતા હોબાળો

પરિવારજનો મૃતદેહ લઈને નર્સિંગ હોમ (Nursing Home) પહોંચ્યા હતા. જ્યાં બાળક ન મળતા હોબાળો મચી ગયો હતો. નર્સિંગ હોમ બંધ કરીને સંચાલક ભાગી ગયો હતો. સગર્ભા મહિલાના પતિએ નર્સિંગ હોમના સંચાલક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. શુક્રવારે જિલ્લા હોસ્પિટલના શબઘરમાં ગર્ભવતી મહિલાના મૃતદેહના પંચનામાની પ્રક્રિયા ચાલી રહી હતી.

દરમિયાન, નર્સિંગ હોમના સંચાલકના બે નજીકના સંબંધીઓ નવજાતને આઈસ બોક્સમાં લઈને પરિવાર પાસે પહોંચ્યા હતા. બાળકનો મૃતદેહ જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. પરિવારજનોના હોબાળાને પગલે પોલીસે બંને યુવકોને પકડી લીધા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે યુવક નર્સિંગ હોમનો કર્મચારી હતો. બીજો યુવાન અજાણ્યો છે.

Nursing Home ની મનમાની; પહેલા છુપાવ્યો નવજાતને, પછી આઈસ-બોક્સમાં આપી લાશ - માતાએ પણ દમ તોડ્યો
Nursing Home ની મનમાની; પહેલા છુપાવ્યો નવજાતને, પછી આઈસ-બોક્સમાં આપી લાશ – માતાએ પણ દમ તોડ્યો

ષડયંત્રના ભાગરૂપે નવજાત શિશુના મૃતદેહને સ્વજનોને મોકલવા માટે બંને યુવાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી તરફ સીએમઓ ડો.ઇશ્તિયાક અહેમદ નર્સિંગ હોમ પહોંચ્યા હતા. તેઓએ નર્સિંગ હોમને સીલ કરી દીધું છે. નર્સિંગ હોમમાં અપ્રશિક્ષિત ડૉક્ટરના ઓપરેશનને કારણે પત્ની અને બાળકના મોત અંગે પતિએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો