Heartbreaking Incident in Rajkot: રાજકોટ શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં આર્થિક ભીસથી કંટાળીને એક જ પરિવારના ત્રણ સભ્યોએ મોતને વ્હાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Heartbreaking Incident in Rajkot: ઘટનાની વિગતો:
રાજકોટના સાધુવાસવાણી રોડ પર રહેતા દિલીપભાઈ (ઉ.વ. ૭૩), તેમના પત્ની સ્મિતાબેન (ઉ.વ. ૬૫) અને પુત્ર નિશિત (ઉ.વ. ૩૨) ત્રણેયે સાથે મળીને સાંજે આશરે ૫ વાગ્યે ખેતરમાં નાખવાના ઝેરી સેલફોસના ટીકડા ખાઈ લીધા હતા. પરિવારની તબિયત લથડતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Heartbreaking Incident in Rajkot: સારવાર દરમિયાન કરૂણ મોત:
સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન માતા સ્મિતાબેનનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પિતા દિલીપભાઈ અને યુવાન પુત્ર નિશિતની હાલત અત્યંત ગંભીર હોવાથી હાલ ઇમર્જન્સી વોર્ડમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર અર્થે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસ તપાસ અને આર્થિક સંકળામણ:
ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ પરિવાર લાંબા સમયથી આર્થિક સંકળામણ (નાણાકીય ભીસ) અનુભવી રહ્યો હોવાને કારણે આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ પરિવારના સભ્યો અને આસપાસના લોકોના નિવેદનો નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




