HomeDeshભટિંડા મિલિટી સ્ટેશન પર ફાયરિંગ મામલે જોણો શું થયો ખુલાસો

ભટિંડા મિલિટી સ્ટેશન પર ફાયરિંગ મામલે જોણો શું થયો ખુલાસો

ભટિંડા પોલીસે ગયા બુધવારે ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ચાર જવાનોની હત્યાનો મામલો ઉકેલી લીધો છે. પંજાબ પોલીસે ચાર જવાનોની હત્યાની ઘટનાના પ્રત્યક્ષદર્શી ગનર દેસાઈ મોહનની ધરપકડ કરી છે. અંગત દુશ્મનાવટના કારણે તેણે ચાર જવાનોને ગોળી મારી દીધી હતી. પંજાબ પોલીસે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ આતંકવાદી હુમલો નથી. તે સૈનિકો વચ્ચેના પરસ્પર વિવાદનો મામલો હતો. પોલીસે રવિવારે આ મામલે ચાર જવાનોની પૂછપરછ કરી હતી. SSP ગુલનીત સિંહ ખુરાનાએ કહ્યું કે પંજાબ પોલીસની ટીમ ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન જ્યારે પ્રત્યક્ષદર્શી ગનર ડિસાઈ મોહનને તપાસમાં સામેલ કરી કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોતાના અંગત કારણોસર, તેણે પહેલા ચાર જવાનોને મારવા માટે રાઈફલની ચોરી કરી, પછી તે જ રાઈફલથી ચારેયને ગોળી મારી દીધી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments