Home Politics પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધન બાબતે વિપક્ષ પર ચાબખા માર્યા

પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધન બાબતે વિપક્ષ પર ચાબખા માર્યા

0
525

ચોમાસું સત્રમાં મણિપુરને લઈને ચાલી રહેલા સંગ્રામ વચ્ચે ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક દરમિયાન વિપક્ષની પાર્ટીના ગઠબંધન ઇન્ડિયા પર ચાબખા માર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે માત્ર ઇન્ડિયા નામ લગાવી દેવાથી કશું થઇ જતું નથી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ ઇન્ડિયા લગાવ્યું હતું. અને ઇન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ઇન્ડિયા આવે છે. મોદીએ કહ્યું કે વિપક્ષ વેરવિખેર થઇ ગયો છે અને હેબતાઈ ગયો છે. વધુમાં તેમને કહ્યું કે વિપક્ષના વલણ પરથી એવું લાગી રહ્યું છેકે લાંબા સમયસુધી સત્તામાં આવવાની ઈચ્છા ધરાવતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સંઘટનમાં પણ ઇન્ડિયા આવે છે . માત્ર ઇન્ડિયા નામ રાખવાથી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ વિપક્ષ કરી રહ્યો છે. પરંતુ દરેક ભારતીય વિપક્ષના આ પ્રકારના વલણથી ગેરમાર્ગે દોરશે નહિ.

PM

સંસદના ચોમાસા સત્રમાં મણિપુને લઈને વિપક્ષ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ સંસદના ગૃહમાં કરી રહ્યો છે અને ચર્ચા કરવા માંગે છે. પરંતુ સત્તા પક્ષના અને NDA ગઠબંધન તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહમંત્રી અમિત શાહ આ બાબતે ચર્ચા કરશે તેવો આગ્રહ રહ્યો છે અને વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યું છે . સંસદના ચોથા દિવસે પણ લોકસભા અને રાજ્યસભા સ્થગિત કરવામાં આવી છે.

એક તરફ વિપક્ષ સતત વડાપ્રધાનના નિવેદનની માંગણી અને ચર્ચા કરવા પર અડગ છે ત્યારે બે દિવસ પહેલા વડાપ્રધાને સંસદની બહાર મણિપુરની ઘટના વિષે દુઃખ વ્યક્ત કર્યું હતું. તે બાબતે પણ વિપક્ષે ઉહરા વિરોધ દર્શાવ્યો હતો.

એક તરફ વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. એ સંસદ્નીમ કાર્યવાહી પહેલા એક બેઠક યોજી હતી તેમાં મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. હવે વિપક્ષ એક તરફ સંસદની બહાર ધારણા પ્રદર્શન કરી રહ્યું છે અને એક તરફ મણિપુર મામલે સત્તાપક્ષ અને મોદી સરકારને ઘેરવામાં એક પણ તક છોડી નથી ત્યારે વડાપ્રધાને ભાજપની સંસદીય દળની બેઠકમાં વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પર અક્ર પ્રહાર કરીને વધુ એક ચર્ચાનો મુદ્દો છેડ્યો છે.

લોકસભા ૨૦૨૪ ચૂંટણી પહેલા વિપક્ષ અને ભાજપ સપૂર્ણ રીતે સજ્જ છે અને અનેક રાજનીતિના ખેલ આગામી સમયમાં જોવા મળી શકે છે .

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે