PM Modi on NEET Leak: સંસદના ચોમાસુ સત્રની શરૂઆત સાથે જ દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા NEET પરીક્ષા કૌભાંડનો મુદ્દો સંસદ ભવનમાં પણ ગરમાયો છે. વિપક્ષના હંગામા વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ સરકારનું વલ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે સરકાર આ મામલે સંપૂર્ણપણે ગંભીર છે અને ગોટાળાની માહિતી મળતાની સાથે જ ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, NEET પેપર લીક અને ગેરરીતિ મામલે અત્યાર સુધીમાં સંડોવાયેલા ૧૩ મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શૈક્ષણિક વર્ષને બચાવવા માટે કોઈપણ પ્રકારના વિલંબ વિના તાત્કાલિક ધોરણે ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
PM Modi on NEET Leak: ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ સિસ્ટમનું નિર્માણ
કિરેન રિજિજૂએ વડાપ્રધાન મોદીના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે સરકારે ભવિષ્યમાં આવા પેપર લીક અને પરીક્ષા કૌભાંડોને કાયમ માટે નેસ્તનાબૂદ કરવા કમર કસી લીધી છે. ભવિષ્યમાં પરીક્ષાઓ સંપૂર્ણપણે પારદર્શક રહે અને કોઈ પણ અનિયમિતતા ન થાય તે માટે એક અત્યાધુનિક અને ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. સરકારે સ્પષ્ટ સંકલ્પ કર્યો છે કે દોષિતોને સખતમાં સખત સજા આપવામાં આવશે જેથી કોઈ પણ વ્યક્તિ નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમવાની હિંમત ન કરી શકે.
PM Modi on NEET Leak: વિપક્ષને રાજકારણથી ઉપર ઉઠીને સહયોગ કરવાની અપીલ
સંસદના આ મોનસૂન સત્રમાં રાષ્ટ્રહિતના મુદ્દાઓ અને મહત્વના બિલોને પસાર કરવા માટે સરકાર એકજૂથ છે. મંત્રીએ જણાવ્યું કે એનડીએ (NDA) ગઠબંધન સત્ર દરમિયાન દેશના હિતમાં સકારાત્મક ભૂમિકા ભજવશે. આ સાથે જ તેમણે વિપક્ષી પક્ષોને પણ ખાસ અપીલ કરી હતી કે ભલે અલગ-અલગ રાજકીય વિચારધારાઓ હોય, પરંતુ દેશના હિત, તેના ભવિષ્ય અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે તમામ પક્ષોએ રાજકીય મતભેદો બાજુ પર મૂકીને સંસદમાં રચનાત્મક સહયોગ આપવો જોઈએ.




