NCP નેતા અજિત પવારે મીડિયા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી

0
35

બીમાર હોવાથી સાળાના ઘરે આરામ કરી રહ્યો હતો : અજિત પવાર

ચકાસણી વગર ખોટા સમાચાર ફેલાવવા અયોગ્ય : અજિત પવાર

NCP નેતા અજિત પવારે પોતાના ગુમ થવા હોવાના સમાચારને લઇને સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, “ગરમી અને યોગ્ય ઊંઘ ન મળવાને કારણે પિત્તની સમસ્યા વધી અને તબિયત બગડી ગઇ હતી. ડૉક્ટરની સલાહ પર મેં દવા લીધી અને પુણેમાં મારા સાળાના ઘરે આરામ કરી રહ્યો હતો. કોઈપણ વ્યક્તિ કોઈને કોઈ કારણ વગર કેટલી બદનામ કરી શકાય છે, તેની એક મર્યાદા છે. મીડિયાને અમારા વિશે રિપોર્ટ કરવાનો અધિકાર છે, પરંતુ કોઈપણ ચકાસણી વિના ખોટા સમાચાર ફેલાવવા એ યોગ્ય નથી.”