Pakistan’s Fake Claim: પાકિસ્તાન તેની જૂની આદત મુજબ ફરી એકવાર પુરાવા વગરની નિવેદનબાજી પર ઉતરી આવ્યું છે. પાકિસ્તાન એરફોર્સના (PAF) એર વાઈસ માર્શલ તારિક ગાઝીએ દાવો કર્યો છે કે ગત વર્ષે મે મહિનામાં થયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન તેમણે ભારતના 8 લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા. જોકે, આ ચોંકાવનારા દાવા પાછળ પાકિસ્તાને કોઈ પણ પ્રકારના ઠોસ પુરાવા રજૂ કર્યા નથી.

Pakistan’s Fake Claim: શું હતો સમગ્ર વિવાદ?
- આતંકી હુમલો: 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો.
- ભારતનો વળતો પ્રહાર: ભારતે 7 મે 2025ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાન અને PoK માં આતંકવાદી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
- પાકિસ્તાનનું નિષ્ફળ ઓપરેશન: જવાબમાં પાકિસ્તાને ‘ઓપરેશન બુનિયાન-ઉન-મરુસ’ શરૂ કર્યું હતું, પરંતુ તે સફળ થયું ન હતું. અંતે 10 મેના રોજ યુદ્ધવિરામ થયો હતો.
Pakistan’s Fake Claim: પાકિસ્તાનના દાવામાં વિરોધાભાસ:
- વિમાનોની સંખ્યામાં ફેરફાર: અગાઉ પાકિસ્તાન સરકાર અને સેનાએ 6 ભારતીય વિમાનો તોડી પાડ્યા હોવાનું કહ્યું હતું, પરંતુ હવે એર વાઈસ માર્શલ આ સંખ્યા વધારીને 8 જણાવી રહ્યા છે.
- કયા વિમાનો તોડ્યાનો દાવો?: પાકિસ્તાની માર્શલના જણાવ્યા મુજબ, તેમણે 4 રાફેલ, 1 સુખોઈ-30, 1 મિગ-29, 1 મિરાજ 2000 અને 1 માનવરહિત ડ્રોન (UAV) તોડી પાડ્યા છે.
- પુરાવાનો અભાવ: આટલા મોટા દાવા છતાં પાકિસ્તાને કોઈ ફોટો કે વીડિયો પુરાવા તરીકે જાહેર કર્યા નથી, જેના કારણે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે મજાક ઉડી રહી છે.
ભારતીય સંરક્ષણ નિષ્ણાતો આને પાકિસ્તાનની હતાશા અને પોતાની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ગુજરાતની મોટી સિદ્ધિ, 5 લાખથી વધુ દીકરીઓનું સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ માટેનું રસીકરણ સંપન્ન




