HomeBreaking NewsAKHILESH YADAV :  સપા સુપ્રીમો અખિલેશ યાદવને CBI નું તેડું !  

AKHILESH YADAV :  સપા સુપ્રીમો અખિલેશ યાદવને CBI નું તેડું !  

AKHILESH YADAV : અખિલેશ યાદવને આવતીકાલે એટલે કે 29મી ફેબ્રુઆરીના રોજ ગેરકાયદે ખનન સંબંધિત કેસમાં દિલ્હીમાં CBI સમક્ષ હાજર થવા સમન્સ પાઠવામાં આવ્યું છે. અખિલેશને સાક્ષી તરીકે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર માઇનિંગ કેસમાં સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને સમન્સ પાઠવ્યા છે.

AKHILESH YADAV

AKHILESH YADAV  : કેન્દ્રીય તપાસ એજન્સીએ CrPCની કલમ 160 હેઠળ અખિલેશને નોટિસ પાઠવી છે. તેમને 21મી ફેબ્રુઆરીએ નોટિસ પાઠવવામાં આવી છે. અખિલેશને 29 ફેબ્રુઆરીએ દિલ્હીમાં CBI સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

AKHILESH YADAV  : 2019માં FIR નોંધવામાં આવી હતી

AKHILESH YADAV

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અખિલેશ યાદવે જવાબ આપવા માટે CBI સમક્ષ હાજર થવું પડશે. અખિલેશને જાન્યુઆરી 2019માં નોંધાયેલી CBI FIRના સંબંધમાં સમન્સ મોકલવામાં આવ્યો છે, જે 2012-2016 વચ્ચે હમીરપુરમાં કથિત ગેરકાયદેસર ખાણકામ સાથે સંબંધિત છે.

AKHILESH YADAV  : ખનિજોના ગેરકાયદેસર ખાણકામની મંજૂરી

AKHILESH YADAV

જાન્યુઆરી 2019 માં, તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ, ખાણકામ અધિકારી અને અન્યો સહિત કેટલાક જાહેર સેવકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. FIRમાં આરોપ છે કે સરકારી કર્મચારીઓએ હમીરપુરમાં ખનીજના ગેરકાયદેસર ખનનને મંજૂરી આપી હતી.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments