Home State Gujarat Ahmedabad Mega Demolition: ઈસનપુરના આંબા તળાવ પર AMCનું બુલડોઝર: 160થી વધુ...

Ahmedabad Mega Demolition: ઈસનપુરના આંબા તળાવ પર AMCનું બુલડોઝર: 160થી વધુ દબાણો દૂર, 26 હજાર ચોરસ મીટર જમીન કરાશે ખુલ્લી

0
120

Ahmedabad Mega Demolition: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરના તળાવો પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ વધુ તેજ કરવામાં આવી છે. તેના ભાગરૂપે ગુરુવારે ઈસનપુર વિસ્તારમાં આવેલા આંબા તળાવ ખાતે મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. સવારથી જ AMCના એસ્ટેટ વિભાગે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 160થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, લાંભા વોર્ડમાં મોની હોટેલની ગલી નજીક આવેલા આંબા તળાવની જમીન પર વર્ષોથી કાચા-પાકા મકાનો અને કોમર્શિયલ એકમો ઉભા થઈ ગયા હતા. AMC દ્વારા અગાઉ નોટિસ આપીને રહેવાસીઓને સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ આજે પાંચથી વધુ JCB અને હિટાચી મશીનોની મદદથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

Ahmedabad Mega Demolition

Ahmedabad Mega Demolition: 147 રહેણાંક અને 14 કોમર્શિયલ એકમો પર કાર્યવાહી

AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તળાવની જમીન પર કુલ 147 જેટલા રહેણાંક મકાનો અને 14 જેટલી કોમર્શિયલ મિલકતો ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવી હતી. તમામ દબાણો દૂર થયા બાદ આશરે 26,000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી થશે, જેનો કબજો મહાનગરપાલિકા ફરીથી મેળવશે.

Ahmedabad Mega Demolition: તળાવનું પુનઃસ્થાપન થશે

મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ, દબાણો દૂર કર્યા બાદ આંબા તળાવને મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાની યોજના છે. તળાવને ઊંડું બનાવી તેની જળસંચય ક્ષમતા વધારવામાં આવશે, જેથી વરસાદી પાણીના સંગ્રહમાં વધારો થઈ શકે અને પર્યાવરણને પણ ફાયદો થાય.

Ahmedabad Mega Demolition

Ahmedabad Mega Demolition: પુરાવા રજૂ કરનાર પરિવારોને મળશે મકાન

ડિમોલિશનથી અસરગ્રસ્ત પરિવારો માટે AMCએ વૈકલ્પિક વ્યવસ્થાની જાહેરાત કરી છે. જે પરિવારો વર્ષોથી અહીં વસવાટ કરતા હોવાના દસ્તાવેજી પુરાવા રજૂ કરશે, તેમને નિયમો અનુસાર આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત તાત્કાલિક આશ્રયની જરૂરિયાત ધરાવતા લોકોને નજીકના રેન બસેરામાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Ahmedabad Mega Demolition

પોલીસ, ફાયર અને મેડિકલ ટીમ તૈનાત

કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય સ્થિતિ સર્જાય નહીં તે માટે ઇસનપુર અને નારોલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોને પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવી છે.

આ પણ વાંચો :ઇમરજન્સી સેવાઓને પણ નડી મોંઘવારી: અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો તોતિંગ વધારો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે