Tragedy in Colombia:દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. સોમવારે કોલંબિયન વાયુસેનાનું શક્તિશાળી ગણાતું ‘હર્ક્યુલસ C-130’ ટ્રાન્સપોર્ટ વિમાન ટેક-ઓફ બાદ તરત જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 66 સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Tragedy in Colombia:દુર્ઘટનાની મુખ્ય વિગતો:

- ક્યારે થઈ ઘટના: સોમવારે ટેક-ઓફ દરમિયાન.
- ક્યાં થઈ ઘટના: પેરુ સરહદ નજીક, દક્ષિણ એમેઝોન ક્ષેત્રના પ્યુઅર્ટો લેગુઇઝામોમાં.
- વિમાનમાં કેટલા લોકો હતા: કુલ 125 વ્યક્તિ (114 સૈનિકો અને 11 ક્રૂ મેમ્બર).
- અકસ્માતનું સ્થળ: રનવેથી માત્ર 1.5 કિલોમીટર દૂર વિમાન જમીનદોસ્ત થયું.
Tragedy in Colombia:રાષ્ટ્રપતિ ગુસ્તાવ પેટ્રોએ વ્યક્ત કર્યો શોક
કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવ પેટ્રોએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે સેનાની સુરક્ષા પર ભાર મૂકતા જણાવ્યું કે, “જવાનોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે અને આવી ઘટનાઓ ન થવી જોઈએ.” તેમણે વહીવટી વિલંબ પર નારાજગી વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે જો અધિકારીઓ આધુનિકીકરણના કામમાં બેદરકારી દાખવશે તો તેમને પદ પરથી હટાવવામાં આવશે.
Tragedy in Colombia:સેનાના આધુનિકીકરણ પર ભાર

રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે સેના માટે નવા હેલિકોપ્ટર, ટ્રાન્સપોર્ટ વિમાન અને એન્ટી-ડ્રોન સિસ્ટમની ખરીદી તાત્કાલિક કરવામાં આવશે. તેમણે સ્વીકાર્યું હતું કે વહીવટી વિલંબને કારણે સંસાધનોને આધુનિક બનાવવાનો નિર્ણય સમયસર લાગુ કરી શકાયો નથી.
C-130 હર્ક્યુલસ: કેવું છે આ વિમાન?
દુર્ઘટનાગ્રસ્ત થયેલું C-130 હર્ક્યુલસ વિશ્વના સૌથી ભરોસાપાત્ર સૈન્ય પરિવહન વિમાનોમાંનું એક માનવામાં આવે છે.
- ક્ષમતા: તે એકસાથે 19,000 કિલોગ્રામ જેટલું વજન લઈ જઈ શકે છે.
- ઉપયોગ: સૈનિકો, બખ્તરબંધ ગાડીઓ અને રાહત સામગ્રી પહોંચાડવા માટે જાણીતું છે.
- વિશેષતા: આ વિમાન કાચા અને મુશ્કેલ રનવે પર પણ ઉતરાણ કરવાની ક્ષમતા ધરાવે છે.



