ગુજરાતમાં રાજ્ય સરકારે હાલ મોટાપાયે ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનના ભાગરૂપે સરકારે હવે Rajkot Amdavad Highway પર આવેલી ગેરકાયદે દરગાહ તોડી પાડી હતી. રાજકોટમાં આણંદપર ગામમાં નેશનલ હાઈવે-27 નજીક આવેલી યા હઝરત જલાલશાહપીરની દરગાહ તોડી પાડવામાં આવી છે. સરકારે અગાઉ ગેરકાયદે દબાણ દૂર કરવા માટે નોટિસ પાઠવી હતી.
જોકે, દરગાહના સંચાલક કટારિયા ઉસ્માનગની હાજીભાઈ ટ્રસ્ટે સરકારની નોટિસ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ અનિરુદ્ધા પી. માથીએ સરકારના નિર્ણયને જાળવી રાખ્યો હતો. ટ્રસ્ટ દરગાહની માલિકીના કોઈ પુરાવા રજૂ કરી શક્યું નહોતું. આથી ન્યાયાધીશ અનિરુદ્ધા પી. માથીએ ટ્રસ્ટની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટના આદેશ પછી સરકારે તુરંત જ દરગાહ તોડી પાડી હતી. સરકાર માટે હવે હાઈવેના વિસ્તરણનો માર્ગ મોકળો થયો છે.

Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

ગુજરાત હાઈકોર્ટે દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી

હાઈવેના વિસ્તરણનો માર્ગ મોકળો થયો
