Home State Delhi દિલ્હી જમીન કૌભાંડ : સીએમ કેજરીવાલે કેસ CBIને મોકલ્યો

દિલ્હી જમીન કૌભાંડ : સીએમ કેજરીવાલે કેસ CBIને મોકલ્યો

0
508
દિલ્હી જમીન કૌભાંડ : સીએમ કેજરીવાલે કેસ CBIને મોકલ્યો
દિલ્હી જમીન કૌભાંડ : સીએમ કેજરીવાલે કેસ CBIને મોકલ્યો

દિલ્હી જમીન કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલ સરકારે કેસ સી.બી.આઈ.ને મોકલ્યો છે. મુખ્ય સચિવ પર પુત્રને ૮૫૦ કરોડનો ફાયદો કરાવવાનો આરોપ છે. દિલ્હી સરકારે દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં સંપાદન કૌભાંડનો મામલો હવે સી.બો.આઈ.ને સોંપાયો છે. મુખ્ય સચિવ નરેશ કુમાર પર જમીનના મૂલ્યમાં 22 ગણો વધારો કરવાનો આરોપ છે. જેમાં તેમના પુત્ર કરણ ચૌહાણ સાથે જોડાયેલી કંપનીને ફાયદો થઇ શકે છે. આ પહેલા અરવિંદ કેજરીવાલે બામનોલી જમીન કૌભાંડ અધિગ્રહણ કેસ સાથે સંબધિત તમામ રીપોર્ટ લેફ્ટ.ગવર્નર વી.કે. સક્શેનાને મોકલી આપ્યો છે. આ રીપોર્ટ મુખ્યમંત્રીને મંત્રી આતીષીએ રજૂ કર્યો હતો.

JAMIN

દિલ્હી જમીન કૌભાંડ મામલે બામનોળી ગામમાં 19 એકર જમીન સંપાદનમાં કથિત કૌભાંડ બદલ તપાસ રીપોર્ટમાં મુખ્ય સચિવ નરેશ કુમારને પદ પરથી હટાવવાની ભલામણ કરવામાં આવી હતી. ત્યાર બાદ દિલ્હી સરકારે સી.બી.આઈ. ને આ રીપોર્ટ મોકલ્યો છે. દિલ્હી સરકારના મંત્રીએ સી.એમ અરવિંદ કેજરીવાલને સોપતા 650 પાનાનો રીપોર્ટ આપ્યો હતો. આ તપાસ રીપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જમીન કૌભાંડમાં અંદાજે ૮૫૦ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આ જમીન વર્ષ ૨૦૧૫માં દ્વારકા એક્ષપ્રેસ હાઈવેના જમીન સંપાદન પહેલા માત્ર 75 લાખમાં ખરીદવામાં આવી હતી. જોકે આ મામલામાં મુખ્ય સચિવ કાર્યાલયે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમની ઓફિસનું કહેવું છે કે થોડા દિવસો પહેલા ડીવીઝનલ કમિશ્નરે ચોખવટ કરી હતી કે કેસમાં કોણ ગુનેગાર છે. આ ઉપરાંત તપાસની પણ વાત થઇ હતી. કેજરીવાલ સરકારના મંત્રી આતિશીનો રીપોર્ટ એ ફરિયાદની તપાસનું પરિણામ છે જેમાં આરોપ કરવામાં આવ્યો હતો કે મુખ્ય સચિવના પુત્રને એક વ્યક્તિ દ્વારા નોકરી આપવામાં આવી હતી જે બામનોલીના લાભાર્થી માલિકોના સંબધી હતા.

દિલ્હી જમીન કૌભાંડની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ સરકારના વિજીલન્સ મંત્રી આતીશીના રીપોર્ટ લેફ્ટ.ગવર્નરને આપ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલે મુખ્ય સચિવ પદ પરથી તાત્કાલિક નરેશ કુમારને હટાવવા અને પદ પરથી સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. સાથે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રીપોર્ટ સી.બી.ઈ. અને ઇડી ને મોકલવાનો આદેશ પણ આપ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ હવે સી.બી.આઈ અને ઇડી કયા પ્રકારની કાર્યવાહી કરીને ખુલાસો કરે છે તે આવનારા દિવસોમાં જોવા મળશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે