અનુરાગ ઠાકુર એ કોંગ્રેસ અને CM બેનર્જી પર પ્રહાર કર્યા

0
60
Union Minister Anurag Thakur's attack on Congress and CM Banerjee
Union Minister Anurag Thakur's attack on Congress and CM Banerjee

ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા શાબ્દીક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, “રાહુલ ગાંધીએ 2018માં મધ્યપ્રદેશમાં જે વચનો આપ્યો હતા, તે પૂરા નથી કર્યા. તેઓ મધ્યપ્રદેશમાં મોઢું બતાવવા લાયક નથી રહ્યા. જેથી તેમણે બહેનને મધ્યપ્રદેશ મોકલી છે. પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. તેમણે સફળ સરકાર આપી છે. હિમાચલ પ્રદેશમાં 6 મહિના પહેલા કોંગ્રેસે કહ્યું હતું કે, 2 રૂપિયે કિલો ગોબર, 100 રૂપિયે લિટર દૂધ ખરીદશું, 300 યુનિટ વીજળી મફત આપીશું અને બહેનોના ખાતામાં રૂપિયા આવશે. શું મારી બહેનોના ખાતામાં રૂપિયા આવી ગયા? 2 રૂપિયા કિલો ગોબર ખરીદ્યુ? 100 રૂપિયા લિટર દુધ ખરીદ્યુ? તમારી વીજળીના બિલ માફ થઈ ગયા?”

રાહુલ મોઢું બતાવવા લાયક નથી રહ્યા એટલે બહેન પ્રિયંકાને મધ્યપ્રદેશ મોકલી- અનુરાગ ઠાકુર

“મમતા બેનર્જીના લોકો પશ્ચિમ બંગાળને સળગાવી રહ્યા છે”

તેમણે વધુમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, “ CM મમતા બેનર્જીના લોકો પશ્ચિમ બંગાળને સળગાવી રહ્યા છે. પંચાયત ચૂંટણીમાં હિંસા થઈ રહી છે અને આ સ્થળની ઓળખ હિંસા અને ભ્રષ્ટાચારની બની ગઈ છે. બિહારના મમતા બેનર્જી અને લાલુ યાદવના શાસનમાં પૈસા પર નોકરી મળે છે.” વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ

દેવભુમિ દ્વારકા ના ટાપુઓ પર જવા પ્રતિબંધ લગાવાયો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.