Home State Gujarat Tragedy on Bharatmala Highway: ગમખ્વાર અકસ્માત: રણુજાથી દર્શન કરી પરત ફરતાં બનાસકાંઠાના...

Tragedy on Bharatmala Highway: ગમખ્વાર અકસ્માત: રણુજાથી દર્શન કરી પરત ફરતાં બનાસકાંઠાના ચૌધરી પરિવારના 3ના મોત, 3 ઈજાગ્રસ્ત

0
406
Tragedy on Bharatmala Highway
Tragedy on Bharatmala Highway

બાલોતરા/ધાનેરા:

Tragedy on Bharatmala Highway: રાજસ્થાનના રણુજા (રામદેવરા) દર્શન કરીને પરત ફરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના શ્રદ્ધાળુઓને રાજસ્થાનમાં કાળ ભેટી ગયો છે. બાલોતરા જિલ્લાના આસોતરા પાસે ભારતમાલા હાઈવે પર સ્કોર્પિયો કાર પલટી જતાં એક જ ગામના ૩ આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે થાવર ગામ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

Tragedy on Bharatmala Highway: નીલગાયને બચાવવા જતાં સર્જાયો કાળમુખો અકસ્માત

Tragedy on Bharatmala Highway

પ્રાપ્ત વિગતો અનુસાર, ધાનેરાના થાવર ગામના શ્રદ્ધાળુઓ સ્કોર્પિયો કાર લઈને રાજસ્થાનના રણુજા ખાતે બાબારીના દર્શને ગયા હતા. દર્શન કરીને ખુશી-ખુશી ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન ભારતમાલા હાઈવે પર એકાએક એક નીલગાય (રોઝડું) કારની આડી ઉતરી હતી. પુરપાટ ઝડપે જતી સ્કોર્પિયો સામે નીલગાય આવી જતાં ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પર ભયાનક રીતે પલટીઓ ખાઈ ગઈ હતી.

અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર ૩ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા.

Tragedy on Bharatmala Highway: મૃતકો અને ઈજાગ્રસ્તોની વિગત

અકસ્માતમાં ભોગ બનેલા તમામ લોકો ધાનેરાના થાવર ગામના ચૌધરી સમાજના હોવાનું સામે આવ્યું છે:

Tragedy on Bharatmala Highway: મૃતકોના નામ:

  1. અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉંમર વર્ષ: ૩૫)
  2. હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (ઉંમર વર્ષ: ૩૨)
  3. યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (ઉંમર વર્ષ: ૧૮)

ઈજાગ્રસ્તોના નામ:

  1. અશોક ચૌધરી (ઉંમર વર્ષ: ૨૬)
  2. કમલેશ ચૌધરી (ઉંમર વર્ષ: ૩૦)
  3. આયુષ ચૌધરી (ઉંમર વર્ષ: ૮)

ઈજાગ્રસ્તોને જોધપુર રીફર કરાયા

અકસ્માત થતાં જ હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની ગંભીર સ્થિતિને જોતાં વધુ સારવાર માટે જોધપુર રીફર કરવામાં આવ્યા છે.

બીજી તરફ, વતન થાવર ગામમાં એકસાથે ૩ યુવકોના મોતના સમાચાર પહોંચતા જ પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને ગામમાં ચુલા પણ સળગ્યા નથી.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો: અમદાવાદમાં મેગા રેડ, ઓઢવમાંથી જાણીતી બ્રાન્ડના નકલી પાન મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે