Home Main ક્યાંક ‘બિપરજોય’ જેવી ન થઈ જાય હાલત! તોફાન ‘તેજ’ની ભારત પર શું...

ક્યાંક ‘બિપરજોય’ જેવી ન થઈ જાય હાલત! તોફાન ‘તેજ’ની ભારત પર શું પડશે અસર?

0
583
ચક્રવાતી
ચક્રવાતી

ચક્રવાતી તોફાન તેજ જલ્દી અત્યંત ભીષણ તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. ભારત પર તેની શું અસર પડી શકે છે. આવો તે વિશે જાણીએ.હવામાન વિભાગે કહ્યું કે અરબી સમુદ્રના સાઉથ-વેસ્ટમાં ચાલી રહેલ વાવાઝોડું તેજ આ રવિવારે અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય શકે છે. હવામાન વિભાગ પ્રમાણે તેજ 25 ઓક્ટોબરની સવારે યમનના અલ ગૈદા અને ઓમાનના સલાલાહના કિનારાને પાર કરી લેશે. આઈએમડીએ જણાવ્યું કે સાઉથ-ઈસ્ટ અને સાઉથ-વેસ્ટ અરબી સમુદ્રની ઉપર દબાણનું ક્ષેત્ર બની ગયું છે, જેના 22 ઓક્ટોબરે ભયંકર ચક્રવાતી તોફાનમાં બદલાવવાની આશંકા છે. નોંધનીય છે કે આ અરબી સમુદ્રમાં બીજું વાવાઝોડું હશે. મહાસાગરમાં સાઇક્લોનના નામકરણના ફોર્મ્યૂલા પ્રમાણે અરબી સમુદ્રમાં આવતા આ વાવાઝોડાનું નામ તેજ રાખવામાં આવ્યું છે. 

ક્યાંક બિપરજોય જેવું ન થઈ જાય
આઈએમડી અનુસાર તોફાન તેજના આજે ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલવા અને ઓમાનના સાઉથ કોસ્ટ તરફ વધવાની શક્યતા છે. તે પાસેના યમન કિનારા તરફ પણ વધી શકે છે. હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ક્યારેક-ક્યારેક સાઇક્લોન પોતાના પૂર્વાનુમાનના રસ્તાથી ભટકી પણ શકે છે, જેમ વાવાઝોડા બિપરજોયમાં જોવા મળ્યું હતું. 

બિપરજોયે કઈ રીતે વધારી હતી મુશ્કેલી?
જાણી લો કે બિપરજોય વાવાઝોડું જૂન મહિનામાં અરબી સમુદ્રમાં આવ્યું હતું. શરૂઆતમાં તે નોર્થ-વેસ્ટ દિશામાં વધ્યા બાદ ગુજરાતમાં માંડવી અને પાકિસ્તાનમાં કરાચી તરફથી પસાર થયું હતું. ગુજરાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું કે હાલમાં તેજથી કોઈ ખતરો નથી. પરંતુ જૂનમાં અરબ સાગરમાં ઉભા થયેલા બિપોરજોય તોફાને ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભયંકર તબાહી મચાવી હતી. પહેલા તે વેસ્ટ તરફ વધી રહ્યું હતું બાદમાં તેણે દિશા બદલી અને કચ્છના કિનારા પર ટકરાયું હતું. 

ભારત પર શું પડશે અસર?
તો સ્કાઈમેટ વેધર પ્રમાણે મોટા ભાગના મોડલ સંકેત આપી રહ્યાં છે કે તેજ તોફાન યમન-ઓમાનના કોસ્ટ તરફ વધી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધુ છે કે ભારતના રાજ્યો પર તેની કોઈ અસર પડશે નહીં. આવું એટલા માટે કારણ કે સાઇક્લોન તેજ વેસ્ટ-નોર્થ અને વેસ્ટ તરફ વધશે. આ કારણે ગુજરાતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે