Relief for Summer Travelers: રેલવેનો મોટો નિર્ણય ઉનાળાના વેકેશનમાં અમદાવાદ, મુંબઈ અને સુરતથી દોડશે સ્પેશિયલ ટ્રેનો, જાણો સંપૂર્ણ શિડ્યુલ

0
115
Relief for Summer Travelers
Relief for Summer Travelers

Relief for Summer Travelers: ઉનાળાના વેકેશન દરમિયાન વતન જતા મુસાફરો અને પ્રવાસીઓના ભારે ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા ‘વોર ફૂટિંગ’ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. રેલવે તંત્રએ સુરતના ઉધના અને મુંબઈથી વિવિધ રૂટ પર 5 નવી ‘ટ્રેન ઓન ડિમાન્ડ’ (TOD) સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. ખાસ કરીને બિહાર અને બંગાળ તરફ જતા શ્રમિકો અને મુંબઈ-અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે આ રાહતના સમાચાર છે.

Relief for Summer Travelers

Relief for Summer Travelers: 1. ઉધના-સાંત્રાગાછી (અમૃત ભારત રેક)

દક્ષિણ ગુજરાતથી બંગાળ તરફ જતા મુસાફરો માટે અત્યાધુનિક સુવિધા ધરાવતી અમૃત ભારત રેક સાથેની ટ્રેન દોડાવવામાં આવશે.

  • ટ્રેન નંબર: 09053 / 09054
  • તારીખ: ઉધનાથી 20 અને 25 એપ્રિલે, જ્યારે પરતમાં 22 અને 27 એપ્રિલે દોડશે.
  • રૂટ: આ ટ્રેન નંદુરબાર, ભૂસાવલ, નાગપુર, રાયપુર અને બિલાસપુર થઈને સાંત્રાગાછી પહોંચશે.

Relief for Summer Travelers: 2. બિહાર માટે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો

બિહાર જતા પરપ્રાંતિય શ્રમિકોની અગવડતા દૂર કરવા માટે રેલવેએ બે ખાસ ટ્રેનો જાહેર કરી છે, જેમાં તમામ કોચ જનરલ રહેશે.

  • ઉધના-જયનગર (09061/62): 19 એપ્રિલે ઉધનાથી ઉપડશે.
  • ઉધના-મધુબની (09067/68): 19 એપ્રિલે ઉધનાથી રવાના થશે.

નોંધ: આ બંને ટ્રેનો સંપૂર્ણપણે જનરલ કોચ ધરાવતી હોવાથી મુસાફરો સ્ટેશનથી ટિકિટ લઈને મુસાફરી કરી શકશે.

Relief for Summer Travelers: 3. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ

અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સાપ્તાહિક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • ટ્રેન નંબર: 09087 / 09088
  • સમયગાળો: 22 એપ્રિલ થી 28 મે સુધી.
  • શેડ્યૂલ: દર બુધવારે મુંબઈથી અને દર ગુરુવારે અમદાવાદથી ઉપડશે.
  • સ્ટોપેજ: બોરીવલી, વાપી, સુરત અને વડોદરા.

Relief for Summer Travelers: 4. મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોર સુપરફાસ્ટ (બાય-વીકલી)

  • ટ્રેન નંબર: 09085 / 09086
  • સમયગાળો: 20 એપ્રિલ થી 29 મે સુધી દર સોમવાર અને શુક્રવારે દોડશે.
  • રૂટ: વાપી, સુરત, વડોદરા, રતલામ અને ઉજ્જૈન થઈને ઇન્દોર પહોંચશે.

મુસાફરો માટે મહત્વની અપીલ: રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુસાફરોએ અંતિમ ઘડીની ભીડથી બચવા માટે અગાઉથી રિઝર્વેશન કરાવી લેવું. જનરલ ટ્રેનો માટે પણ નિયત સમય કરતા વહેલા સ્ટેશન પહોંચવા સૂચન કરવામાં આવ્યું છે જેથી વ્યવસ્થા જળવાઈ રહે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં કુદરતનો બેવડો મિજાજ સુરત ‘ધુમ્મસની ચાદર’માં લપેટાયું, તો સુરેન્દ્રનગર 41.2°C સાથે રાજ્યમાં સૌથી ગરમ