Home State Gujarat Rajpipla Temple Theft: 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિધ્ધિ માતાના મંદિરમાં ચોરી, દાનપેટી...

Rajpipla Temple Theft: 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિધ્ધિ માતાના મંદિરમાં ચોરી, દાનપેટી તોડી તસ્કરો રકમ ચોરી ફરાર

0
171
Rajpipla Temple Theft
Rajpipla Temple Theft

Rajpipla Temple Theft: નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા ખાતે આવેલ આશરે 400 વર્ષ જૂના અત્યંત આસ્થાના પ્રતીક સમાન ઐતિહાસિક હરસિધ્ધિ માતાના મંદિર પરિસરમાં ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ મંદિર પરિસરમાં આવેલી દાનપેટીને નિશાન બનાવીને તેમાં રહેલી રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા છે.

Rajpipla Temple Theft: દીવાલ કૂદીને ચોરીને આપ્યો અંજામ

પ્રાથમિક માહિતી અનુસાર, હાલ મંદિરના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે આસપાસના કેટલાક મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સે આ જ તોડી પાડવામાં આવેલા મકાનોની દીવાલ કૂદીને મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણે મંદિર પરિસરમાં રાખવામાં આવેલી દાનપેટીને તોડીને અંદર રહેલા રોકડ રૂપિયાની ચોરી કરી હતી.

Rajpipla Temple Theft: સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો

Rajpipla Temple Theft

સૌથી ચિંતાજનક બાબત એ છે કે આટલા મોટા અને ઐતિહાસિક મંદિર પરિસરમાં સુરક્ષા માટે કોઈપણ પ્રકારની કડક વ્યવસ્થા ઉપલબ્ધ નથી. મંદિરમાં ન તો ગનમેન કે ન તો ખાનગી સુરક્ષા જવાનોની નિમણૂક કરવામાં આવી છે. સુરક્ષાના આ અભાવના કારણે તસ્કરો બેફામ બન્યા છે, જેનાથી સ્થાનિક ભક્તો અને રહીશોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.

મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે તસ્કરો નિરાંતે ચોરીની ઘટનાને અંજામ આપીને જતા રહ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુરક્ષા સઘન કરવામાં આવે તેવી અમારી માંગ છે.”

જી. એમ. પટેલ (મંત્રી, મંદિર ટ્રસ્ટ)

“400 વર્ષ જૂના આ પૌરાણિક મંદિરમાં આ પ્રકારે ચોરી થવી તે ખૂબ જ દુખદ છે. અગાઉ પણ આવી બાબતો ધ્યાને આવી છે ત્યારે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ વધારવું જોઈએ.”

નયન કાપડિયા (સ્થાનિક રહીશ)

Rajpipla Temple Theft: સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, પોલીસ તપાસ શરૂ

સદભાગ્યે સમગ્ર ચોરીની ઘટના મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી (CCTV) કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર અજાણ્યા શખ્સની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટના બાદ સ્થાનિક લોકો અને ભક્તોએ ઉગ્ર માંગ કરી છે કે મંદિર પરિસરમાં કાયમી ધોરણે સુરક્ષા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી અસામાજિક ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.

વધુ સમાચારવાંચવા માટે અંહી ક્લિક કરો: સાવલી-હાલોલ રોડ પર રાણીપુરા નજીક રાષ્ટ્રીય પક્ષી મોર રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે