રેલ્વે ટ્રેક પર આપઘાતનો પ્રયાસ કરનારા ૪ લોકોનો જીવ બચાવાયો
પાટણના રાધનપુરમાં રેલવે કર્મચારીઓએ સમય સૂચકતા દાખવીને આપઘાતનો પ્રયાસ કરનારા પરિવારનો જીવ બચાવ્યો છે. રેલવે ટ્રેક પર એક પરિવાર આત્મહત્યા કરવા બેઠો હોવાની જાણ થતાં જ રેલવે કર્મચારીઓએ આ પરિવારને ત્યાંથી હટાવ્યો હતો. આમ રાધનપુરના જાખેલ ગામના ઠાકોર પરિવારના ૪ સભ્યોનો જીવ બચાવાયો છે. આ પરિવારને 108 દ્વારા રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ પરિવારના સભ્યોની મુલાકાત લેવા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, આર્થિક સંકડામણના કારણે ઠાકોર પરિવારે સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.