Home Desh ઓપરેશન સિંદૂરની ઈનસાઈડ સ્ટોરી -જૈશ-એ-મોહમ્મદ (JeM) નું મુખ્ય તાલીમ અને પ્રચાર કેન્દ્ર...

ઓપરેશન સિંદૂરની ઈનસાઈડ સ્ટોરી -જૈશ-એ-મોહમ્મદ (JeM) નું મુખ્ય તાલીમ અને પ્રચાર કેન્દ્ર મરકઝ સુભાન અલ્લાહનો નાશ #ForPakistan #Lashkar-e-Taiba #IndianArmy #pakistani #jem #operationsindoor #sindoor

0
618

ઓપરેશન સિંદૂરની ઈનસાઈડ સ્ટોરી #ForPakistan #Lashkar-e-Taiba #IndianArmy #pakistani #jem #operationsindoor #sindoor – મરકઝ સુભાન અલ્લાહ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરની બહાર NH-5 (કરાચી-તોરખામ હાઇવે) પર કરાચી પાસે સ્થિત છે. તે જૈશ-એ-મોહમ્મદ (JeM) નું મુખ્ય તાલીમ અને પ્રચાર કેન્દ્ર છે, જે 15 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ સેન્ટર જૈશ-એ-મોહમ્મદનું ઓપરેશનલ હેડક્વાર્ટર છે. તે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના પુલવામા હુમલા સહિત અનેક આતંકવાદી યોજનાઓ સાથે જોડાયેલો છે.

ઓપરેશન સિંદૂરની ઈનસાઈડ સ્ટોરી

RAWએ સ્થળ પસંદ કર્યું, આર્મી-નેવી-એરફોર્સે ઓપરેશન પાર પાડ્યું ઓપરેશન સિંદૂરની ઈનસાઈડ સ્ટોરી

આતંકીઓના સૌથી મોટા સ્થળ મરકઝ સુભાન અલ્લાહનો નાશ

મરકઝ સુભાન અલ્લાહ જૈશ-એ-મોહમ્મદનું ઓપરેશનલ હેડક્વાર્ટર

પાકિસ્તાનની પ્રાંતીય અને ફેડરલ સરકારોના સમર્થન અને ગલ્ફ, આફ્રિકન દેશો (યુકે સહિત)માંથી એકત્ર કરાયેલા ભંડોળ સાથે વર્ષ 2015માં મરકઝ સુભાન અલ્લાહની સ્થાપના કરાઈ હતી. મસ્જિદના નામે ચાલતા આ સ્થળનો ઉપયોગ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને તાલીમ આપવા, આતંકી વિચારધારાનો પ્રચાર કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે થતો હતો. આ પરિસરમાં 600થી વધુ આતંકવાદીઓ રહેતા હતા. જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર આ મસ્જિદમાં રહેતો હતો. જોકે, હાલ, મસૂદ અઝર ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં પાકિસ્તાની અધિકારીઓની રક્ષણાત્મક કસ્ટડીમાં રહે છે.

પાકિસ્તાન સરકાર, ગલ્ફ-આફ્રિકન દેશોના ભંડોળથી મરકઝની સ્થાપના કરાઈ

મસ્જિદના નામે જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને તાલીમ અપાતી હતી

આ સંકુલમાં 600થી વધુ આતંકીઓ રહેતા હતા

જૈશના ચીફ મૌલાના મસૂદ અઝહર આ મસ્જિદમાં રહેતો હતો

મરકઝ સુભાન અલ્લાહમાં પુલવામાના આતંકીઓને તાલિમ અપાઈ હતી

આ સાથે જૈશનો ડી-ફેક્ટો ચીફ મુફ્તી અબ્દુલ રઉફ અસગર, મસૂદ અઝહરનો સાળો અને જૈશની સશસ્ત્ર પાંખનો વડો યુસુફ અઝહર (ઉસ્તાદ ઘોરી), મસૂદ અઝહરના ભાઈ મૌલાના અમ્માર, મૌલાના તલ્હા સૈફ, મસૂદ અઝહરનો પુત્ર મોહમ્મદ અબ્દુલ્લા બિન મસૂદ પણ અહીં જ રહેતા હતા. મરકઝ સુભાન અલ્લાહ 2019ના પુલવામા હુમલાનું તાલીમ કેન્દ્ર હતું, જેમાં CRPFના 40 જવાન શહીદ થયા હતા.

ભારતીય વાયુ સેનાએ 7 મેને બુધવારે વહેલી સવારે ઓપરેશન સિંદુર હેઠળ મરકઝ સુભાન અલ્લાહને તોડી પાડ્યું હતું. આ મસ્જિદને તોડી પાડવા સ્કેલ્પ અને હેમર મિસાઈલોનો ઉપયોગ કરાયો હતો. આ ઓપરેશનનો આશય જૈશ-એ-મોહમ્મદના આતંકી માળખાનો નાશ કરવાનો હતો. મરકઝ સુભાન અલ્લાહના તાલીમ શિબિરો, શસ્ત્રોના ડેપો અને કમાન્ડ સેન્ટરો. મુફ્તી અબ્દુલ રઉફ અસગર અને યુસુફ અઝહર જેવા ટોચના જૈશ નેતાઓ આ સ્થળે છુપાયેલા હતા.

પાકિસ્તાનમાં આતંકીઓના મોટા હેડક્વાર્ટરનો નાશ ઓપરેશન સિંદૂરની ઈનસાઈડ સ્ટોરી

મરકઝ સુભાન અલ્લાહને તોડી પાડવા સ્કેલ્પ-હેમર મિસાઈલનો મારો કરાયો

રાફેલ જેટથી મરકઝમાં ડીપ કમાન્ડ સેન્ટરો-બન્કરો તોડી પડાયા

નાના ટાર્ગેટ માટે હેમર મિસાઈલોનો ઉપયોગ કરાયો

બ્રહ્મોસ મિસાઈલ, સ્પાઈસ 2000 અને પોપાય બોમ્બથી પણ હુમલો કરાયો

રાફેલ જેટથી લોન્ચ કરાયેલ અને 250-560 કિમી રેન્જના સ્કેલ્પ ક્રુઝ મિસાઇલનો ઉપયોગ ડીપ કમાન્ડ સેન્ટરો અને બંકરોનો નાશ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ સિવાય 20થી 70 કિ.મી.ની રેન્જ ધરાવતા લેસર અને ઈન્ફ્રારેડ ગાઈડેડ હેમર મિસાઈલનો ઉપયોગ બંકરો અને તાલીમ સુવિધાઓ જેવા નાના લક્ષ્યોને નષ્ટ કરવા કરાયો હતો. ભારતીય સૈન્યે સુપરસોનિક ગતિ અને 400 કિમી રેન્જવાળા બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ ડેપોનો નાશ કરવા માટે કર્યો હતો. ચોક્સાઈપૂર્વકના હુમલા માટે મિરાજ 2000 જેટમાંથી સ્પાઈસ 2000 અને પોપાય બોમ્બનો મારો કરાયો હતો. હેરોન ડ્રોનનો ઉપયોગ કરીને નાના પરંતુ મહત્વપૂર્ણ લક્ષ્યોને નષ્ટ કરાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

Table of Contents

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે