મોદી લહેર ખતમ થઈઃ સંજય રાઉત

0
440

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસમાં ખુશી છવાઈ છે .આની વચ્ચે  શિવસેનાના નેતા સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે  કે મોદી લહેર સમાપ્ત થઈ ગઈ છે અને હવે તેમની લહેર આવવાની છે. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત પર સંજય રાઉતે કહ્યું કે બજરંગ બલીએ ભાજપને નહીં પરંતુ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે 2024 લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને રવિવારે શરદ પવારના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે.