Relief for Industries: દેશના ગતિશીલ ઉદ્યોગો માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે દેશમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ના પુરવઠા પર લાદવામાં આવેલા તમામ નિયંત્રણો તાત્કાલિક અસરથી હટાવી લીધા છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire) થતાં જ સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા શનિવારે આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેનાથી હવે દેશમાં LNG સપ્લાય ફરી પૂર્વવત અને સામાન્ય થઈ જશે.

Relief for Industries: શા માટે લાગુ કરાયો હતો ‘ઇમરજન્સી ઓર્ડર’?
ગત ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા અને ત્યારબાદ ઈરાનની જવાબી કાર્યવાહીને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ સપ્લાયનો મુખ્ય માર્ગ ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. વિદેશી સપ્લાયર્સે ભારત આવતા ગેસ કાર્ગો રોકી દીધા અથવા ડાયવર્ટ કર્યા હતા. આ ગંભીર ઇંધણ સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે ૯ માર્ચ ૨૦૨૬ના રોજ ‘આવશ્યક વસ્તુ અધિનિયમ’ (Essential Commodities Act) હેઠળ દેશમાં કટોકટીનો આદેશ જારી કરીને ગેસ સપ્લાય પર નિયંત્રણો લાદ્યા હતા.
Relief for Industries: સંકટ ટળ્યું: સરકારે પરત ખેંચ્યા ત્રણેય કટોકટીના નિર્ણયો
પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતાં અને હોર્મુઝ રૂટ પરથી જહાજોની અવરજવર ફરી શરૂ થતાં સરકારે તબક્કાવાર તમામ ૩ મોટા કટોકટીના નિર્ણયો પાછા ખેંચ્યા છે:
- LNG સપ્લાય પરનો પ્રતિબંધ હટાવ્યો: ઉદ્યોગોને હવે પૂરતો ગેસ મળશે, જેથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મોટો વેગ મળશે.
- LPG ઉત્પાદનનો નિર્દેશ પાછો ખેંચાયો: તેલ રિફાઇનરીઓને પેટ્રોકેમિકલ ઇનપુટ રોકીને માત્ર LPG બનાવવાનો જે આદેશ હતો તે હવે હટાવી લેવાયો છે.
- ડીઝલ વેચાણ પરની લિમિટ ખતમ: બલ્ક (જથ્થાબંધ) ગ્રાહકોને ડીઝલના વેચાણ પર લાદવામાં આવેલી મર્યાદા પણ દૂર કરાઈ છે.
Relief for Industries: ભારત માટે કેમ લાઇફલાઇન છે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’?
ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત પર નિર્ભર રાખે છે, જેના આંકડા નીચે મુજબ છે:
| ઇંધણ પ્રકાર | આયાત પર નિર્ભરતા (%) | પશ્ચિમ એશિયા (ખાડી દેશો) માંથી સપ્લાય (%) |
| ક્રૂડ ઓઇલ (કચ્છું તેલ) | 88% | 40-45% |
| નેચરલ ગેસ (LNG) | 50% | 65% |
નોંધનીય છે કે: ભારતનો મોટાભાગનો LNG ગેસ કતાર દેશમાંથી આવે છે. કતારથી આવતા તમામ જહાજોએ ફરજિયાત ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી પસાર થવું પડે છે. આથી જ આ રૂટ પર સામાન્ય તણાવ પણ ભારતની આર્થિક રગ દબાવી શકે છે.
Relief for Industries: ઉદ્યોગોમાં ખુશીનો માહોલ
LNG નો સૌથી વધુ ઉપયોગ સિરામિક, કેમિકલ, ફર્ટિલાઇઝર અને પાવર પ્લાન્ટ જેવા મોટા ઉદ્યોગોમાં ઇંધણ તરીકે થાય છે. છેલ્લા ચાર મહિનાથી મર્યાદિત સપ્લાયને કારણે ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચ અને ક્ષમતા પર માઠી અસર પડી રહી હતી. હવે સપ્લાય સામાન્ય થતાં જ ઉત્પાદન વધશે અને બજારમાં ફરી તેજી જોવા મળશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




