Home Desh Kedarnath: કેદારનાથના ગૌરીકુંડ પાસે મોટો અકસ્માત; ગુજરાત અને મહારાષ્ટ્ર શ્રદ્ધાળુઓના નામ- 3ના...

Kedarnath: કેદારનાથના ગૌરીકુંડ પાસે મોટો અકસ્માત; ગુજરાત અને મહારાષ્ટ્ર શ્રદ્ધાળુઓના નામ- 3ના મોત, 8 ઘાયલ

0
828
Kedarnath: કેદારનાથના ગૌરીકુંડ પાસે મોટો અકસ્માત, 3ના મોત, 8 ઘાયલ
Kedarnath: કેદારનાથના ગૌરીકુંડ પાસે મોટો અકસ્માત, 3ના મોત, 8 ઘાયલ

Kedarnath Landslide: કેદારનાથ પગપાળા માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ ઘટના બની. અહીં પહાડો પર ભૂસ્ખલન થતાં કાટમાળ અને મોટા મોટા પથ્થરો પડતાં 6 શ્રદ્ધાળુઓ દટાઈ ગયા હતા. જેમાંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય 8 ની હાલત ગંભીર જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

Kedarnath: કેદારનાથના ગૌરીકુંડ પાસે મોટો અકસ્માત, 3ના મોત, 8 ઘાયલ
Kedarnath: કેદારનાથના ગૌરીકુંડ પાસે મોટો અકસ્માત, 3ના મોત, 8 ઘાયલ

કેદારનાથના ગૌરીકુંડ (Gaurikund in Kedarnath) પાસે રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં પહાડી પરથી પથ્થરો નીચે પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય બ8 લોકો ઘાયલ થયા છે. પહાડોમાં વરસાદને કારણે વારંવાર લેન્ડ સ્લાઈડના કિસ્સાઓ બને છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ દુર્ઘટના લેન્ડ સ્લાઇડને કારણે થઈ છે.

માહિતી અનુસાર 3 શ્રદ્ધાળુઓના મૃતદેહોને કાટમાળમાંથી ભારે જહેમત બાદ કાઢી લેવામાં સફળતા મળી હતી. હજુ પીડિતોની ઓળખ જાહેર થઈ શકી નથી. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી નંદન સિંહે કહ્યું કે અમને સવારે 7:30 વાગ્યે ઘટનાની જાણકારી મળી. જેમાં ચીરબાસા નજીક પર્વત પરથી કાટમાળ અને ભારે પથ્થરો ધસી આવવાની જાણકારી અપાઈ હતી. 

કાટમાળમાંથી ત્રણ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય આઠ ઘાયલ છે. ઘાયલો ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરો હોવાનું કહેવાય છે.

મૃતકોના નામ

કિશોર અરુણ પરતે, મહારાષ્ટ્ર, ઉંમર 21 વર્ષ

અનુરાગ બિષ્ટ, તિલવારા

સુનિલ મહાદેવ, મહારાષ્ટ્ર, ઉંમર 24 વર્ષ

ઘાયલોના નામ

ચેલાભાઈ ચૌધરી, ગુજરાત, ઉંમર 23 વર્ષ

હરદાનભાઈ પટેલ, ગુજરાત

જગદીશ પુરોહિત, ગુજરાત, ઉંમર 45 વર્ષ

અભિષેક ચૌહાણ, મહારાષ્ટ્ર, ઉંમર 18 વર્ષ

ધનેશ્વર દંડે, મહારાષ્ટ્ર, ઉંમર 27 વર્ષ

Kedarnath : બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે 

સૂચના મળતાં જ યાત્રા માર્ગમાં તહેનાત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. જેમાં એનડીઆરએફ, ડીડીઆર, વાયએમએફ તંત્રની ટીમે રેસ્ક્યૂ શરુ કર્યું હતું. ઘાયલોને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. હાલ રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી પણ ચાલી રહી છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે