HomeMainIND vs SA  :  જીતનો દુકાળ પૂરો કરી શકશે ટિમ ઇન્ડિયા ?

IND vs SA  :  જીતનો દુકાળ પૂરો કરી શકશે ટિમ ઇન્ડિયા ?

IND vs SA :  ભારતે આફ્રિકા સામે એકદિવસીય સીરીઝ જીતી લીધી છે હવે ટેસ્ટ સીરીઝનો વારો છે, ન ભૂતો ન ભવિષ્યતિ કહેવાતું ભારતનું આફ્રિકામાં ટેસ્ટ સીરીઝ જીતવાનું સપનું આ વખતે પૂરું કરવાનું દરેક ભારતીયનું સ્વપનું છે.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. આ શ્રેણી ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં અત્યારસુધી કોઈ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. ભારતે અહીં 8 સિરીઝ રમી હતી, જેમાંથી એક ડ્રો રહી હતી, જ્યારે 7માં હાર થઈ હતી.

rohit sharma 1

IND vs SA :  1932માં જ્યારે ભારતે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે ટીમ ઘણી નબળી હતી. ટીમ દરેક દેશમાં હારતી હતી પરંતુ 1983નો વર્લ્ડકપ જીત્યા બાદ દુનિયાએ ભારતને ઓળખ્યું. આ વર્ષ પછી ભારતે વિદેશમાં પણ ટેસ્ટ શ્રેણી જીતવાની પ્રક્રિયા શરૂ કરી. ટીમે ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને એશિયાના તમામ દેશોમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. ઓસ્ટ્રેલિયામાં ભારતને બે વખત સફળતા મળી છે પરંતુ ટીમ આજ સુધી સાઉથ આફ્રિકામાં શ્રેણી જીતી શકી નથી.

IND vs SA  :  છેલ્લી વખત 2021માં ભારતીય ટીમ 1-0ની લીડ લીધા બાદ પણ 3 ટેસ્ટ મેચની સિરીઝ હારી ગઈ હતી, પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયા પાસે વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત જેવા અનુભવી ખેલાડીઓને કારણે શ્રેણી જીતવાની તક છે. ખેલાડીઓની સાથે સાથે મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલ જેવા યુવા ખેલાડીઓ પણ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીમાં ટીમને જીત અપાવવા માટે સક્ષમ છે.

Capture 30 2 10 1

IND vs SA : 1992થી ભારત આફ્રિકામાં એક પણ ટેસ્ટ જીત્યું નથી

IND vs SA  : 13 નવેમ્બર 1992ના રોજ, ભારતે સાઉથ આફ્રિકામાં પ્રથમ વખત ટેસ્ટ રમી. મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાનીમાં ભારત 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી હારી ગયું હતું. 3 મેચ ડ્રો રહી હતી. 1996માં, ટીમ સચિન તેંડુલકરની કપ્તાની હેઠળ આવી, ભારત 3-ટેસ્ટની શ્રેણી 2-1થી હારી ગયું. 2001માં ભારત સૌરવ ગાંગુલીની કેપ્તનશીપમાં મેદાનમાં ઉતર્યું, પરંતુ પરિણામ એ જ રહ્યું, ટીમ 2-ટેસ્ટની સિરીઝ 1-0થી હારી ગઈ.

IND vs SA  :  9 વર્ષમાં ભારતે 9 ટેસ્ટ રમી અને એક પણ જીતી શકી નથી. ટીમ 4 ટેસ્ટ હારી હતી, જ્યારે 5 મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ રાહુલ દ્રવિડની કપ્તાનીમાં ભારતે 2006માં 3 ટેસ્ટ મેચની શ્રેણી રમી હતી. એસ. શ્રીસંતની શાનદાર બોલિંગના કારણે ભારતે પ્રથમ ટેસ્ટ 8 વિકેટે જીતી લીધી હતી, પરંતુ ટીમે બાકીની 2 ટેસ્ટ હાર્યા બાદ સિરીઝ ગુમાવી દીધી હતી. એટલે કે, 1992 થી 17 વર્ષ સુધી, ભારતે 12 ટેસ્ટ રમી, ટીમ માત્ર એક જ મેચ જીતી છે,  અને ટીમ ચારેય સિરીઝ હારી ગઈ છે.

ind vs SA

ત્યારે હવે ટીમ રોહિત પર આટલા વર્ષનો દુકાળ પૂરો કરવાનો સમય છે, આ વખતે ટીમ સંપૂર્ણ ફીટ અને અનુભવી અને યન્ગસ્ટર નું કોમ્બીનેશન છે. વન ડે સીરીઝ જીત્યા બાદ ભારતીય ટિમ ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરેલી છે. જેનો ભારતીય ટીમને ઘણો ફાયદો પણ મળશે.      

તમે આ પણ વાંચી શકો છો

Dwarka  :  હવે ભગવાન શ્રી કૃષ્ણની ઓરીજનલ દ્વારકા જોવાનો મોકો મળશે. વાંચો શું છે આખો પ્લાન  !! 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments