idar અંતિમધામમાં પણ ગુંડાગીરી,દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડી

    0
    102


    idar: ગાંધીવાડા અંતિમ ધામમાં અસામાજિક તત્વોએ પાપની તમામ સીમાઓ વટાવી દીધી છે. હિન્દુ દેવી-દેવતાઓની પવિત્ર મૂર્તિઓને નિર્દયતાપૂર્વક ખંડિત કરવામાં આવી છે. હનુમાનજી મહારાજનું પવિત્ર મસ્તક ધડથી અલગ કરી દેવાયું છે. રામદેવપીર, મહાદેવજી અને ગુરુ દત્તાત્રેયની મૂર્તિઓ ટુકડે-ટુકડે કરાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર જિલ્લાની ધર્મપ્રેમી જનતામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે

    idar હનુમાનજીનું માથું અલગ કર્યું


    કળિયુગના જીવતા જાગતા દેવ ગણાતા સંકટમોચન હનુમાનજી મહારાજનું પવિત્ર મસ્તક ધડથી અલગ, આ કોઈ સામાન્ય નુકસાન નથી, આ કરોડો હિન્દુઓની આસ્થા પર અસામાજિક તત્વોએ કરેલો સીધો અને ઘાતકી પ્રહાર છે. ઇડર નગરપાલિકા સંચાલિત ગાંધીવાડા અંતિમ ધામમાં અસામાજિક તત્વોએ આ આતંક મચાવ્યો છે. અહીં માત્ર બજરંગબલી જ નહીં, પરંતુ ભક્તોના શ્રદ્ધા કેન્દ્ર સમાન રામદેવપીર, દેવોના દેવ મહાદેવજી અને ગુરુ દત્તાત્રેયની પવિત્ર મૂર્તિઓને પણ નિર્દયતાપૂર્વક તોડી પાડવામાં આવી છે.

    idar હિન્દુ સંગઠનોમાં રોષ

    સ્મશાન ગૃહમાં કોઈ મૂર્તિના હાથ ગાયબ છે, તો કોઈનું માથું ગાયબ છે. આખા પરિસરમાં પવિત્ર મૂર્તિઓના ટુકડા વેરવિખેર પડ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે જે અંતિમ ધામનું નવીનીકરણ કરાયું હતું, તેને આ તત્વોએ પોતાનો અડ્ડો બનાવી રોળી નાખ્યું છે. હનુમાનજીનું મસ્તક ધડથી અલગ જોતા જ સ્થાનિકો અને હિન્દુ સંગઠનોના હૈયામાં ભારે રોષ વ્યાપી ગયો છે….

    idar પાલિકા સામે આક્ષેપો

    ભગવાનની મૂર્તિઓ સુરક્ષિત નથી, તો પછી ઇડરનું નગરપાલિકા તંત્ર શું ઘોર નિદ્રામાં હતું, નગરપાલિકા સુરક્ષા અને સાફ-સફાઈના જે મોટા-મોટા દાવાઓ કરતી હતી, તેની પોકળતા આ ખંડિત મૂર્તિઓએ ખુલ્લી પાડી દીધી છે. લાખો રૂપિયા વાપર્યા પછી પણ અહીં જાળવણી કે સુરક્ષા માટે એક પણ ચોકીદાર રાખવામાં આવ્યો નથી, જેના કારણે આ પવિત્ર સ્મશાન ગૃહ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. આ ઘોર પાપ અને લાપરવાહી માટે હિન્દુ સંગઠનો સીધેસીધું તંત્રને જવાબદાર માની રહ્યા છે. ઇડરની જનતા વતી હવે એક જ સૂર ઉઠ્યો છે કે આ નરાધમોને કાયદાનો આકરો પાઠ ભણાવવામાં આવે.

    વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રણશિંગું ફૂંકી દીધું છે અને તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો આ ખંડિત મૂર્તિઓ મામલે તાત્કાલિક કડક નિકાલ અને આરોપીઓની ધરપકડ નહીં થાય, તો સમગ્ર ઇડર જ નહીં પણ આખો જિલ્લો ઉગ્ર આંદોલનથી ધણધણી ઉઠશે….સ્મશાન જેવા પવિત્ર સ્થાને દેવી-દેવતાઓની મૂર્તિઓ સુરક્ષિત નથી, તો પછી સામાન્ય જનતા ક્યાં જઈને શ્રદ્ધા રાખે? હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડીને લોહી ઉકાળનારા આ તત્વો સામે પોલીસ અને તંત્ર ક્યારે લાલ આંખ કરશે, તેના પર હવે સૌની નજર મંડાયેલી છે…..

    વધારે સમાચાર વાંચવા અહી ક્લિક કરો

    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે