HomeBreaking NewsGAGANYAAN : આ 4 અવકાશયાત્રીઓ ગગનયાનમાં બેસીને જશે અવકાશમાં, વડાપ્રધાન મોદીએ 4...

GAGANYAAN : આ 4 અવકાશયાત્રીઓ ગગનયાનમાં બેસીને જશે અવકાશમાં, વડાપ્રધાન મોદીએ 4 અવકાશયાત્રીના નામની કરી જાહેરાત  

GAGANYAAN :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. વડાપ્રધાને વિક્રમ સારાભાઈ ઈસરોના ચીફ એસ સોમનાથ સાથે સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી છે. મોદી અહીં લગભગ રૂ.1800 કરોડના ત્રણ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને દેશના પ્રથમ મેન્ડ સ્પેસ મિશન ગગનયાનની સમીક્ષા કરી હતી.

GAGANYAAN

GAGANYAAN  : વડાપ્રધાને ગગનયાન મિશન પર મોકલવામાં આવનાર અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી અને તેમને અવકાશયાત્રી વિંગ્સ આપી. ગગનયાન મિશન પર જે અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે તેમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર સુભાંશુ શુક્લા સામેલ છે  ચારેય ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાઇલટ છે. ચારેય બેંગલુરુમાં અવકાશયાત્રી તાલીમ સુવિધામાં તાલીમ લઈ રહ્યા છે.

GAGANYAAN  : ગગનયાન મિશન શું છે?

GAGANYAAN

મિશન ગગનયાન એ ભારતનું એક મહત્વાકાંક્ષી અવકાશ મિશન છે, જેનો ઉદ્દેશ્ય 2025માં ચાર અવકાશયાત્રીઓને 400 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે. આ મિશન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા સંચાલિત કરવામાં આવશે.

GAGANYAAN  : આ મિશન માટે કેટલીક જટિલ તકનીકો વિકસાવવામાં આવી રહી છે, જેમાં…. 

– અવકાશયાત્રીઓને વહન કરતું મજબૂત રોકેટ

– એક સિસ્ટમ જે અવકાશમાં રહેવા માટે યોગ્ય વાતાવરણ બનાવે છે

– કટોકટીની સ્થિતિમાં અવકાશયાત્રીઓને બચાવવાની વ્યવસ્થા

– અવકાશયાત્રીઓને તાલીમ આપવા, પાછા લાવવા અને તેમની સંભાળ રાખવાની યોજના 

GAGANYAAN  : મિશનની પૂર્વ તૈયારી

GAGANYAAN

વાસ્તવિક અવકાશ ઉડાન પહેલાં, તમામ તકનીકો યોગ્ય રીતે કામ કરી રહી છે તેની ખાતરી કરવા માટે કેટલાક પ્રેક્ટિસ મિશન હાથ ધરવામાં આવશે. આ પ્રેક્ટિસ મિશનમાં ઇન્ટીગ્રેટેડ એર  ડ્રોપ ટેસ્ટ (IADT), પેડ એબોર્ટ ટેસ્ટ (PAT), ટેસ્ટ વ્હીકલ (TV) ફ્લાઈટ્સ સામેલ છે. 

GAGANYAAN : ગગનયાન મિશન ભારત માટે શા માટે ખાસ છે?

અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જતું ગગનયાન મિશન ઘણી રીતે ભારત માટે ખાસ છે.શરૂઆતમાં તે 2022માં લોન્ચ થવાનું હતું પરંતુ કોરોનાના તેમજ મિશનની જટિલતાના કારણે તેમાં વિલંબ થયો. જો 2025માં આ મિશન સફળ થશે, તો ભારત અમેરિકા, ચીન અને રશિયા પછી માનવસહિત અવકાશયાન મોકલનાર ચોથો દેશ બની જશે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments