પીએમ મોદીને ગાળો આપવી તે કોંગ્રેસના DNAમાં : સીતારમણ

0
43

PM મોદીના ‘મન કી બાત’ કાયક્રમના ૧૦૦ એપિસોડ પૂર્ણ થવા પર કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે, નિર્મલા સીતારમણે કહ્યું છે કે, “PM મોદીએ આ કાર્યક્રમ થકી જનતાના મનની વાત સાંભળી છે. તેમાં કોઈ રાજનીતિ નથી કે એજન્ડા નથી. આ અમારું સૌભાગ્ય છે કે, અમને આવા પ્રધાન સેવકની વચ્ચે કામ કરવાની તક મળી છે કે જે લોકો સાથે જોડવામાં વિશ્વાસ રાખે છે. પીએમ મોદીને ગાળો આપવી એ કોંગ્રેસના ડીએનએમાં છે. એક તરફ રાહુલ ગાંધી પ્રેમની દુકાન ખોલવાની વાત કરે છે તો તેમની પાર્ટી અધ્યક્ષ પીએમને ઝેરી સાપ કહે છે. કોંગ્રેસ જેટલી પીએમ મોદીને ગાળો આપશે, જનતા એટલી જ મજબૂતીથી તેમની સાથે ઉભી રહેશે, જ્યારે પણ કોંગ્રેસને લાગે છે કે તેઓ કોઈને હરાવી શકતા નથી, ત્યારે તેઓ તેમને આ રીતે ગાળો આપે છે.”