શિવસેનાના 3000થી વધુ કાર્યકરો અયોધ્યા જવા રવાના

0
270

મુખ્યમંત્રી શિંદેએ આપી રેલવે સ્ટેશન પર વિદાય

શિવસેના પાર્ટીના કાર્યકરો શુક્રવારે ઉત્તર પ્રદેશના અયોધ્યા જવા રવાના થયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમને વિદાય આપવા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું કે, આજનો દિવસ અમારા કાર્યકરો અને રામ ભક્તો માટે મોટો દિવસ છે. આજે અહીંથી બે ટ્રેન રવાના થઈ છે, એક થાણેથી અને એક નાસિકથી. આ ટ્રેન દ્વારા 3000 થી વધુ રામ ભક્તો રવાના થયા છે. કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી શિંદે 9મી એપ્રિલે અયોધ્યા જશે