Home Main ખાલિસ્તાન ચળવળના માસ્ટરમાઈન્ડ પન્નૂ સામે કેનેડાનું કૂણું વલણ, આતંકીઓ સામે એક્શનમાં કેનેડા...

ખાલિસ્તાન ચળવળના માસ્ટરમાઈન્ડ પન્નૂ સામે કેનેડાનું કૂણું વલણ, આતંકીઓ સામે એક્શનમાં કેનેડા ફરી ઉઘાડું પડ્યું

0
609
પન્નુ ટ્રુડો
પન્નુ ટ્રુડો

ભારત અને કેનેડા વચ્ચેના વિવાદમાં સમાધાનના હજુ સુધી કોઈ વાવડ નથી. કેનેડાએ જ્યાં હજુ ખાલિસ્તાની આતંકીઓ સામે કાર્યવાહી શરૂ નથી કરી, ત્યાં ભારત એ આતંકીઓ સામેની કાર્યવાહી તેજ કરી છે. કેનેડામાં ભારતીયોને ધમકી આપનાર અને ખાલિસ્તાની ચળવળ મા માસ્ટરમાઈન્ડ ગુરપતવંત સિંહ પન્નૂની ભારતમાં સંપત્તિ જપ્ત કરાઈ છે. તો આ તરફ ખાલિસ્તાની આતંકીઓને સમર્થનના મામલે ટ્રુડો સરકાર ફરી ઉઘાડી પડી છે. અમેરિકાએ પણ કેનેડાના વલણની ટીકા કરી છે. આતંકવાદના મુદ્દે કેનેડા સાથે દેશના સંબંધ તંગ બની જશે કે ભારત એ ક્યારેય વિચાર્યું નહતું. કેનેડા જેવો વિકસિત દેશ ખાલિસ્તાની આતંકીઓના સમર્થનમાં ભાન ભૂલી જશે, તે પણ અણધાર્યું છે. જો કે સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ગઈ છે. 

નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સીએ ખાલિસ્તાની આતંકી પન્નુની ચંદીગઢ અને અમૃતસર સ્થિત સંપત્તિ જપ્ત કરી છે. જેમાં તેમના પૈતૃક મકાન અને જમીનનો સમાવેશ થાય છે.

પન્નૂની સંપત્તિની બહાર લગાવવામાં આવેલા બોર્ડમાં જણાવાયું છે કે આ સંપતિ સરકારી સંપત્તિ છે. તેના પર હવે ગુરપતવંત સિંહ પન્નુનો કોઈ અધિકાર નથી. આ કાર્યવાહી પાછળ પન્નૂની દેશવિરોધી અને આતંકી હરકતો જવાબદાર છે.

પન્નૂ 2019થી NIAની રડાર પર છે. જ્યારે તેની સામે પહેલો કેસ નોંધાયો હતો. તેના પર પંજાબ સહિત દેશમાં અન્ય જગ્યાઓ પર લોકોને ધમકી આપવાનો તેમજ આતંકવાદી કૃત્યોમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે. NIAની સ્પેશ્યલ કોર્ટે 2021માં તેની સામે બિનજામીનપાત્ર વોરન્ટ પણ ઈેશ્યુ કર્યું હતું. પન્નૂનું પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટીસ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને ખાલિસ્તાન ચળવળના નામે ભડકાવે છે અને આતંકવાદ તરફ દોરે છે. આ જ કારણ છે કે 2020માં ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો હતો.

પાકિસ્તાન પાસેથી ફંડિંગ અને કેનેડા સરકાર પાસેથી રાજકીય સમર્થન મેળવીને પન્નૂ મુઠ્ઠીભર ખાલિસ્તાની સમર્થકોને ભારત અને ભારતીયો સામે ઉશ્કેરતો રહે છે, એ પણ જાહેરતમાં. છતા કેનેડા સરકાર ભારત સમક્ષ મૂલ્યોની વાત કરે છે. 

તો આ તરફ આતંકવાદને સમર્થનના મુદ્દે કેનેડાની ટ્રુડો સરકાર ફરી ખુલ્લી પડી છે. ભારતે પન્નૂ સહિતના કેટલાક ખાલિસ્તાનીઓની ડોઝિયર કોપી કેનેડાની સરકારને સોંપી હતી. જેમાં આતંકી હરદીપસિંહ નિજ્જરના અપરાધની પણ માહિતી હતી. તેમ છતા કેનેડાએ આ બંને આતંકીઓ સામે કોઈ કાર્યવાહી ન કરી. હરદીપસિંહ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી તેમજ અમેરિકાએ તેને નો ફ્લાય લિસ્ટમાં નાંખ્યો હતો, તેના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ હતો, તેમ છતા કેનેડા જાગ્યું નહીં. 

આ જ કારણ છે કે અમેરિકામાં પણ કેનેડાની આ નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠી રહ્યા છે. પેન્ટાગોનના પૂર્વ અધિકારી અને US એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટિટ્યૂટના સીનિયર ફેલો માઈકલ રુબિને જસ્ટીન ટ્રુડોના વલણને વખોડ્યું છે. તેમણે કહ્યું છે કે ટ્રુડોએ પુરાવા વિના ભારત પર કરેલા આક્ષેપ ખોટાં છે.

અંગત રાજકીય લાભ માટે આતંકીઓને પંપાળતા જસ્ટીન ટ્રુડો જાણતા નથી કે તેઓ આતંકની આગ ભડકાવી રહ્યા છે. જે તેમના દેશના લોકોને જ ભારે પડશે. જો કે કેનેડાના લોકો ટ્રુડોની રાજરમત સમજી ગયા છે અને 2024ની ચૂંટણીમાં તેમને ઘરભેગા કરવાનું મન બનાવી લીધું છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે