Aravalli Police Boost Highway Security: અરવલ્લી જિલ્લાના મુખ્ય પ્રવેશદ્વાર સમાન અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. લાંબા સમયથી બંધ પડેલી મોડાસાની રાજેન્દ્રનગર પોલીસ ચોકીને વર્ષો બાદ ફરીથી ધમધમતી કરવામાં આવી છે.
Aravalli Police Boost Highway Security: એસપી મનોહરસિંહ જાડેજાના હસ્તે ઉદઘાટન
અરવલ્લી જિલ્લા પોલીસ વડા (SP) મનોહરસિંહ જાડેજાના હસ્તે રાજેન્દ્રનગર પોલીસ ચોકીનું રીતસરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Aravalli Police Boost Highway Security: હાઇવે પર સુરક્ષા અને સર્વેલન્સ વધશે

- વાહનવ્યવહાર પર બાજ નજર: અમદાવાદ-ઉદેપુર હાઇવે પરથી પસાર થતા અસંખ્ય વાહનો અને શંકાસ્પદ ગતિવિધિઓ પર હવે આ ચોકીથી કડક નજર રાખી શકાશે.
- જિલ્લાના પ્રવેશદ્વાર પર પહેરો: અરવલ્લી જિલ્લામાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર જ પોલીસ ચોકી કાર્યરત થવાથી ગુનાખોરી પર અંકુશ લાવવામાં અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં મોટી મદદ મળશે.
- લોકોમાં સુરક્ષાની ભાવના: અગાઉ આ ચોકી બંધ થઈ જવાથી સ્થાનિક સ્તરે સુરક્ષાને લઈને ચિંતાઓ હતી, જે હવે વર્ષો પછી ફરી શરૂ થવાથી દૂર થઈ છે.
અધિકારીનું નિવેદન:

આ પ્રસંગે અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “આ પોલીસ ચોકી શરૂ થવાથી હાઇવે પર સુરક્ષાનું સ્તર વધશે અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનશે.”
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં મેઘરાજાની ઘાતક બેટિંગ: માત્ર ૪૦ મિનિટમાં ૪ ઈંચ વરસાદથી જળબંબાકાર, તંત્રના દાવા પોલા સાબિત




