Ambaji Temple Timings Change from Tomorrow: અંબાજી મંદિરમાં આવતીકાલથી દર્શનના સમયમાં ફેરફાર ગ્રીષ્મ ઋતુને પગલે હવે થશે ત્રણ આરતી, બપોરે વીસાયંત્રને સૂર્યદર્શન બાદ રાજભોગ આરતી

0
132
Ambaji Temple Timings Change from Tomorrow
Ambaji Temple Timings Change from Tomorrow

Ambaji Temple Timings Change from Tomorrow:  સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે આવતા માઈભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉનાળાની ગ્રીષ્મ ઋતુ અને સૂર્યોદય-સૂર્યાસ્તના સમયમાં આવતા બદલાવને ધ્યાને રાખીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલ અખાત્રીજથી હવે મંદિરમાં બેને બદલે ત્રણ આરતીનો પ્રારંભ થશે.

Ambaji Temple Timings Change from Tomorrow

Ambaji Temple Timings Change from Tomorrow: અખાત્રીજથી અષાઢી એકમ સુધી નવો સમય

Ambaji Temple Timings Change from Tomorrow

મંદિર ટ્રસ્ટની યાદી મુજબ, આ નવો સમય 19 એપ્રિલ 2026 થી 15 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને બપોરના સમયે વધારાની ત્રીજી આરતીનો ઉમેરો કરવામાં આવ્યો છે.

  • બપોરની વિશેષ આરતી: પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ મુજબ, અરીસા દ્વારા વીસાયંત્રને સૂર્યનારાયણના દર્શન કરાવ્યા બાદ રાજભોગ ધરાવીને બપોરે 12:30 કલાકે આરતી કરવામાં આવશે.
  • દર્શનના સમયમાં ફેરફાર: હવે સવારે મંદિર વહેલું એટલે કે 10:45 વાગ્યે દર્શન માટે બંધ થશે.
  • અન્નકૂટ બંધ: આ સમયગાળા દરમિયાન માતાજીનો અન્નકૂટ થઈ શકશે નહીં, જેની ભક્તોએ ખાસ નોંધ લેવા અપીલ કરાઈ છે.

Ambaji Temple Timings Change from Tomorrow: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું રૂ. 32.50 કરોડનું ભવ્ય દાન

Ambaji Temple Timings Change from Tomorrow

અંબાજીમાં યાત્રિકોની સુવિધામાં વધારો કરવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉદાર હાથે દાન આપવામાં આવ્યું છે. રિલાયન્સના અનંત અંબાણીના 31મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કુલ રૂ. 32.50 કરોડના દાનની જાહેરાત કરવામાં આવી છે.

  • આ રાશિનો ઉપયોગ અંબાજીમાં અત્યાધુનિક યાત્રીનિવાસના નિર્માણ અને નિઃશુલ્ક ભોજન યોજના (ભોજનશાળા)ને વધુ સુદ્રઢ બનાવવા માટે કરવામાં આવશે.
Ambaji Temple Timings Change from Tomorrow

નવું સમયપત્રક એક નજરે:

વિગતસમય
સવારની આરતીસવારે 07:00 થી 07:30
સવારના દર્શનસવારે 07:30 થી 10:45
બપોરની આરતી (રાજભોગ)બપોરે 12:30 કલાકે
સાંજની આરતીસાંજે 07:00 થી 07:30
સાંજના દર્શનસાંજે 07:30 થી 09:00

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ધંધુકામાં રક્તપાત બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવકની કરપીણ હત્યા, વિફરેલા ટોળાએ દુકાનો સળગાવી; બે આરોપી ઝડપાયા