એર ઇન્ડિયાએ કરી જાહેરાત

0
31

રાજકોટ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ફ્લાઇટની સંખ્યા પણ સતત વધારવામાં આવી રહી છે. જેથી એર ઈન્ડિયા દ્વારા રાજકોટથી મુંબઈ માટે ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવાઈ મુસાફરીની સંખ્યામાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે ૨૦ એપ્રિલથી રાજકોટથી આ ફ્લાઇટ સવારે ટેક ઓફ થશે.જેના પગલે રાજકોટથી મુંબઈ જવા માટે સવારે બે ફ્લાઇટ શરૂ થતાં મુસાફરોને ઘણી રાહત મળશે.