SCએ કર્ણાટકના સિવિલ જજને કર્યા બરતરફ

0
110

સંપૂર્ણ ચુકાદો લખ્યા વિના ખુલ્લી અદાલતમાં ચુકાદો આપવો ખોટો

સર્વોચ્ચ અદાલતે કર્ણાટકના સિવિલ જજને બરતરફ કરવાનો આદેશ આપતાં અવલોકન કર્યું હતું કે ન્યાયિક અધિકારી સંપૂર્ણ ચુકાદો લેખિતમાં મેળવ્યા વિના ખુલ્લી અદાલતમાં ચુકાદાના નિર્ણાયક ભાગને સંભળાવી શકતા નથી. હકીકતમાં, કર્ણાટકના એક સિવિલ જજ ચુકાદાના નિર્ણાયક ભાગને ખુલ્લી અદાલતમાં સંપૂર્ણ ચુકાદો લખ્યા વિના સંભળાવતા હતા. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે જજને દોષિત ઠેરવ્યા છે. જ્યારે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી ત્યારે સિવિલ જજે આ સમગ્ર ઘટના માટે તેમના સ્ટેનોગ્રાફરને જવાબદાર ઠેરવ્યા હતા.કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્દેશ આવ્યો હતો, જેમણે પૂર્ણ અદાલત દ્વારા પસાર કરેલા સમાપ્તિના આદેશને બાજુ પર મૂકીને ન્યાયાધીશને પુનઃસ્થાપિત કરવાના હાઈકોર્ટની ડિવિઝન બેંચના આદેશને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટની બેન્ચ ગંભીર આરોપો છુપાવવા બદલ કર્ણાટક હાઈકોર્ટની ભારે ઝાટકણી કાઢી અને કહ્યું કે જજનું વર્તન અસ્વીકાર્ય છે.