Preserving Dignity: અદાલતી કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગ અને સોશિયલ મીડિયા પર તેની ક્લિપ્સ વાઇરલ થવાના મામલે સુપ્રીમ કોર્ટે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. કોર્ટે અદાલતી કાર્યવાહીના પસંદગીના ભાગો દર્શાવીને ન્યાયતંત્રની છબી ખરાબ કરવા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને સોશિયલ મીડિયા તેમજ ડિજિટલ પ્લેટફોર્મ પર અદાલતી કાર્યવાહીની કોઈપણ ક્લિપ પ્રસારિત કરવા પર વચગાળાનો પ્રતિબંધ (સ્ટે) લગાવી દીધો છે.

Preserving Dignity: ‘આ એક મજાક બની ગયું છે’
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અદાલતી કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગ અને વીડિયો પ્રસારણ પર રોક લગાવવાની માગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની અદાલતની કાર્યવાહીના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ બધું હવે એક મજાક બની ગયું છે. આના પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ટિપ્પણી કરી હતી કે, “હવે આનાથી દરેક વ્યક્તિને અનિચ્છનીય વસ્તુઓ વાંચવા અને જોવા માટે મજબૂર થવું પડે છે.”
Preserving Dignity: જસ્ટિસ જોયમાલ્ય બાગચીની કડક ટિપ્પણી
સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ ડિજિટલ સ્પેસમાં ડેટાના નિયમનને એક મોટો પડકાર ગણાવ્યો હતો. તેમણે સૂચન આપ્યું હતું કે અદાલતની કાર્યવાહી સુધીની પહોંચ મર્યાદિત હોવી જોઈએ અને લાઈવ સ્ટ્રીમિંગ પર નિયંત્રણ હોવું જરૂરી છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે,
“અદાલત એન્ટરટેઈનમેન્ટ ચેનલ ન બની શકે.”
જસ્ટિસ બાગચીએ સૂચન કર્યું કે લાઈવ સ્ટ્રીમિંગ પબ્લિક પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ ન હોવું જોઈએ, પરંતુ જો કોઈ પક્ષ કે નાગરિક આની ફીડ મેળવવા માગતો હોય, તો તેણે તેના માટે સ્પષ્ટ વિનંતી કરવી જોઈએ.
Preserving Dignity: કઈ બેંચે લીધો નિર્ણય અને કોને મળી નોટિસ?
અદાલતી કાર્યવાહીની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવા પર વચગાળાની રોક લગાવવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેંચે સર્વાનુમતે લીધો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ પાઠવી છે, અને હાલ આ મામલે અદાલતમાં સુનાવણી ચાલુ છે.
અવારનવાર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન જજો દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ કે ચર્ચાઓને સંદર્ભ વગર તોડી-મરોડીને વાઇરલ કરવામાં આવતી હોવાથી ન્યાયતંત્રની ગરિમા જાળવવા માટે આ પગલું અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ગુજરાતમાં ૭ નેશનલ હાઇવે અને ૧૨૦૪ રસ્તા બંધ, અમદાવાદ-રાજકોટ હાઈવે પર ડાઈવર્ઝન; ૨૨ ટ્રેન રદ




