Home State Gujarat Tragedy at UN Mehta Hospital: યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઈનની સફાઈ દરમિયાન...

Tragedy at UN Mehta Hospital: યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઈનની સફાઈ દરમિયાન મોટી દુર્ઘટના, ઝેરી ગેસથી 3 શ્રમિકો ગૂંગળાયા, એકના મોતના આક્ષેપ સાથે 200થી વધુ કર્મચારીઓ હડતાળ પર

0
99
Tragedy at UN Mehta Hospital
Tragedy at UN Mehta Hospital

Tragedy at UN Mehta Hospital: અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી પ્રખ્યાત યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના પરિસરમાં ગઇકાલે (6 જુલાઈ) સાંજે એક હૃદયકંપાવનારી દુર્ઘટના સામે આવી હતી. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુએજ ટેન્ક (ગટરની ટાંકી) સફાઈની કામગીરી દરમિયાન સેફ્ટીના સાધનો વિના ઉતારાયેલા 3 શ્રમિકો ઝેરી ગેસના કારણે અંદર ફસાયા હતા. સારવાર દરમિયાન કોન્ટ્રાક્ટ પર કામ કરતા એક યુવકનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ સાથે આજે (7 જુલાઈ) સવારથી જ હોસ્પિટલના 200થી વધુ હાઉસકીપિંગ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે અને હોસ્પિટલ કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો છે.

Tragedy at UN Mehta Hospital

Tragedy at UN Mehta Hospital: ગટરની ટાંકીમાં એકને બચાવવા જતાં અન્ય બે પણ ફસાયા

ગઈકાલે સાંજના સમયે યુ.એન. મહેતા હોસ્પિટલના બેઝમેન્ટમાં ડ્રેનેજ પાઇપલાઇનની સફાઈ ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન એક શ્રમિક ઝેરી ગેસના કારણે અચાનક બેભાન થઈ ગયો હતો અને સીધો નીચે અર્ધ ભરેલી સુએજ ટેન્કમાં ખાબક્યો હતો. તેને ડૂબતો જોઈ અને બચાવવા માટે ત્યાં હાજર અન્ય બે વ્યક્તિઓ પણ તાત્કાલિક ટેન્કમાં નીચે ઉતર્યા હતા, પરંતુ ઝેરી ગેસની તીવ્ર અસરોના કારણે તેઓ પણ ત્યાં જ ગૂંગળાઈને બેભાન થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાઇપલાઇનમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢી ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

Tragedy at UN Mehta Hospital

Tragedy at UN Mehta Hospital: ‘સેફ્ટી વિના ડ્રેનેજમાં ઉતાર્યા’, એક શ્રમિકના મોતનો આક્ષેપ

આ ઘટનામાં ભોગ બનનાર યુવકો હોસ્પિટલમાં હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી ‘SMC’ નામની કંપનીના કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકો અને પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે, હાઉસકીપિંગનું કામ હોવા છતાં આ કર્મચારીઓને કોઈપણ જાતના સેફ્ટી ગીઅર (સુરક્ષા સાધનો) વિના જોખમી ડ્રેનેજ સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા.

પરિવારજનોના જણાવ્યા મુજબ, સારવાર દરમિયાન એક કર્મચારીનું મૃત્યુ નીપજ્યું છે, જોકે હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કે જાણકારી આપવામાં આવી નથી, જેને પગલે લોકોનો રોષ બેવડાયો છે.

Tragedy at UN Mehta Hospital

Tragedy at UN Mehta Hospital: 200થી વધુ કર્મચારીઓ હડતાળ પર, હોસ્પિટલના દરવાજા બંધ કરાયા

પોતાના સાથી કર્મચારીના મોતના સમાચાર અને સુરક્ષાના અભાવથી રોષે ભરાયેલો 200થી વધુ હાઉસકીપિંગ સ્ટાફ આજે સવારથી જ કામકાજ બંધ કરી હડતાળ પર ઉતરી ગયો છે. હોસ્પિટલ પરિસરમાં મચેલા ભારે હોબાળા અને તંગદિલીને પગલે વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલના મુખ્ય દરવાજા બંધ કરી દેવાની ફરજ પડી હતી.

Tragedy at UN Mehta Hospital

પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક પોલીસ બોલાવવી પડી હતી. શાહીબાગ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને હાલ પ્રદર્શન કરી રહેલા સ્ટાફને શાંત પાડવા અને મામલો થાળે પાડવા માટે સમજાવટનો પ્રયાસ કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

તેલંગાણામાં હૃદયકંપાવનારી ઘટના, નર્સ પત્નીએ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં પ્રેમી સાથે મળી પતિને આપ્યું દર્દનાક મોત, ડ્રિપમાં ટોયલેટ ક્લીનર ઇન્જેક્ટ કર્યું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે