HomeBreaking NewsRam Mandir Controversy: રામ મંદિરમાં વધુ એક વિવાદ: સિંધી સમાજે દાનમાં આપેલી...

Ram Mandir Controversy: રામ મંદિરમાં વધુ એક વિવાદ: સિંધી સમાજે દાનમાં આપેલી 200 કિલો ચાંદી ગાયબ હોવાનો સનસનીખેજ આરોપ!

Ram Mandir Controversy: અયોધ્યાના ભવ્ય શ્રીરામ મંદિરમાં ચઢાવાની ચોરી અને દાનમાં મળેલી સામગ્રીની હેરાફેરીના મામલાઓ દરરોજ નવો વળાંક લઈ રહ્યા છે. હવે મુંબઈના ‘વિશ્વ સિંધી સેવા સંગમ’ દ્વારા મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, તેમણે 15 દેશોના સિંધી ભક્તો દ્વારા દાનમાં આપેલી 200 કિલો ચાંદીની શિલાઓની રસીદ પાંચ વર્ષ વીતી જવા છતાં આપી નથી અને આ ચાંદી ક્યાં ગઈ તેની કોઈ માહિતી નથી.

Ram Mandir Controversy: ₹1.40 કરોડની ચાંદીની શિલાઓ ક્યાં?

Ram Mandir Controversy

સંગમના ચેરમેન ડૉ. રાજુ મનવાણીના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરી 2021ના રોજ સિંધી સમાજના 200 લોકોએ ભગવાન ઝુલેલાલના ચિત્રો અંકિત કરેલી 1-1 કિલોની ચાંદીની શિલાઓ (કુલ 200 કિલો, જેની તે સમયની કિંમત ₹1.40 કરોડ હતી) ચંપત રાયને રૂબરૂ સોંપી હતી. શુદ્ધતા તપાસ્યા પછી રસીદ આપવાનો વાયદો કરાયો હતો, પરંતુ આજે પાંચ વર્ષ થવા છતાં ટ્રસ્ટ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

Ram Mandir Controversy: કાકભુશુંડીની ચાંદીની મૂર્તિ પણ ગાયબ

Ram Mandir Controversy

અન્ય એક કિસ્સામાં અનિતા ભારદ્વાજ નામની મહિલાએ કારસેવકપુરમમાં ચંપત રાયને દાનમાં આપેલી ચાંદીની કાકભુશુંડી મૂર્તિની રસીદ ન મળી હોવાનો દાવો કર્યો છે. આ સિવાય મુંબઈના અન્ય એક વેપારીએ દ્વાદશ જ્યોતિર્લિંગ હાર અને ચરણ પાદુકા તેમજ ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશને પણ 60 કિલો ચાંદીની શિલાઓ બાબતે ચંપત રાય પર સવાલો ઉઠાવ્યા છે.

Ram Mandir Controversy: તપાસ અને શંકાસ્પદો પર સકંજો

Ram Mandir Controversy

ટ્રસ્ટ દ્વારા આ મામલે પ્રાથમિક તપાસ કરીને 13 જૂન સુધીમાં કેટલાક કર્મચારીઓના ઘરેથી ₹2 કરોડ રોકડા અને દાગીના જપ્ત કરવામાં આવ્યા હોવાનો દાવો છે. હાલ લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા સહિત 5 શંકાસ્પદોને મંદિર પરિસરમાં જ રાખવામાં આવ્યા છે અને SIT તેમની પૂછપરછ કરી રહી છે. ચંપત રાયના પૂર્વ ડ્રાઈવર ટિન્નુ યાદવ પર પણ શંકાની સોય છે.

Ram Mandir Controversy: ટ્રસ્ટીઓને ક્લીનચિટ મળવાની ચર્ચા

Ram Mandir Controversy

પૂર્વ એકાઉન્ટન્ટ અને એન્જિનિયરે આક્ષેપ કર્યો હતો કે આ કૌભાંડ અને 40% કમિશનની જાણકારી ચંપત રાયને હતી. જોકે, 23 જૂને રામ મંદિર પરિસરમાં શેષાવતાર મંદિરના ધ્વજારોહણ કાર્યક્રમમાં ચંપત રાય, ડૉ. અનિલ મિશ્રા અને ગોપાલ રાવ ભારે સક્રિય જોવા મળ્યા હતા. ચંપત રાયે કાર્યક્રમની આગેવાની પણ કરી હતી, જેનાથી બજારમાં ચર્ચા છે કે SITના પ્રારંભિક રિપોર્ટમાં આ ત્રણેય ઉચ્ચ પદાધિકારીઓને ક્લીનચિટ મળી ગઈ છે.

CM યોગી આદિત્યનાથનું કડક વલણ

Ram Mandir Controversy

વિવાદ વચ્ચે અયોધ્યા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “અમે ટ્રસ્ટની વિનંતી પર SIT તપાસ બેસાડી છે. SIT દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. આ મામલામાં આરોપી ગમે તેટલો વગદાર હશે, તેને બક્ષવામાં આવશે નહીં.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સોના-ચાંદીમાં મોટો કડાકો: ચાંદી ૩ દિવસમાં ₹૨૨,૦૦૦ સસ્તી, સોનાના ભાવમાં પણ ₹૧૬,૦૦૦નો ઘટાડો!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments