Tragic Incident in Vadodara: શહેરમાં અસાધ્ય બીમારીના કારણે સતત માનસિક તણાવમાં રહેતા એક ૩૯ વર્ષીય યુવકે ગત રાત્રે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. પિતાએ પુત્રને ઘણી હિંમત આપી હોવા છતાં, બીમારીના ટેન્શનમાં યુવકે આ અંતિમ પગલું ભરી લીધું હતું.

Tragic Incident in Vadodara: પિતાએ આશ્વાસન આપ્યું, પણ ટેન્શન ઓછું ન થયું
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વડોદરાના બિલ ગામમાં રહેતા ૩૯ વર્ષીય સંદિપ પટેલ મકરપુરા જી.આઈ.ડી.સી.ની એક ફેક્ટરીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ એક અસાધ્ય બીમારીથી પીડાતા હતા, જેના કારણે તેઓ ભારે માનસિક તણાવ (ડિપ્રેશન) માં રહેતા હતા. સંદિપભાઈએ પોતાની આ બીમારી અંગે પિતાને વાત કરી ત્યારે પિતાએ તેમને સંપૂર્ણ આશ્વાસન આપીને હિંમત રાખવા જણાવ્યું હતું. જો કે, પિતાની સમજાવટ બાદ પણ તેમનું ટેન્શન ઓછું થયું ન હતું.
Tragic Incident in Vadodara: સવારે પત્ની જાગી ત્યારે પંખે લટકતી લાશ જોઈ
ગત રાત્રે સંદિપભાઈ દરરોજની જેમ પોતાના પત્ની અને સંતાનો સાથે રૂમમાં સૂઈ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે અથવા વહેલી સવારે તેમણે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આજે સવારે જ્યારે તેમના પત્ની જાગ્યા ત્યારે પતિને ફાંસો ખાધેલી હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા અને પરિવારમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ અટલાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આશાસ્પદ યુવકના આ પગલાથી બિલ ગામ અને મકરપુરા જી.આઈ.ડી.સી.ના કર્મચારી વર્ગમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




