Controversy in Patan: પાટણ જિલ્લાના હારીજ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પરંપરાગત વિસ્તાર ‘ઝાપટપરા’નું નામ સત્તાવાર મંજૂરી વગર બદલીને સરકારી કાગળોમાં ‘ઈસ્લામપુરા’ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.

Controversy in Patan: શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલા એક સર્વે દરમિયાન સામે આવ્યું હતું કે, આ વિસ્તારના રહીશોના સરકારી દસ્તાવેજોમાં ‘ઝાપટપરા’ના સ્થાને નવું નામ ઉમેરાઈ ગયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ નામ બદલવા માટે નગરપાલિકામાં કોઈ પણ પ્રકારનો ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી કે કોઈ સત્તાવાર દરખાસ્ત પણ કરવામાં આવી નહોતી.

Controversy in Patan: સ્થાનિકોની પ્રતિક્રિયા
આ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા લોકોનું કહેવું છે કે, આ વિસ્તારનું નામ દાયકાઓથી ‘ઝાપટપરા’ જ છે અને તેમનો તમામ વહીવટી રેકોર્ડ પણ તે જ નામે ચાલે છે.
- શેખ ઇમ્તિયાઝ ખાન: “અંદાજે 90 ટકા લોકોના દસ્તાવેજોમાં ‘ઝાપટપરા’ નામ જ છે. જે લોકોના આધાર કાર્ડ કે અન્ય દસ્તાવેજોમાં ભૂલથી નામ બદલાયું છે, અમે તેને સુધારવા માટે તંત્રમાં રજૂઆત કરીશું. આ વિસ્તારનું જૂનું નામ જ યથાવત રહેવું જોઈએ.”
- સ્થાનિક રહીશ તખીબેન: “મને અહીં લગ્ન કરીને 30-35 વર્ષ થયા છે, ત્યારથી આ વિસ્તાર ‘ઝાપટપરા’ તરીકે જ ઓળખાય છે. અચાનક બદલાયેલા નામને કારણે અમને મુશ્કેલી પડી રહી છે.”

Controversy in Patan: વહીવટી તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં
સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે વસ્તીના સમીકરણો બદલાયા બાદ, ચોક્કસ તત્વોની વહીવટી તંત્ર સાથેની મિલીભગતથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારી રેકોર્ડ પરથી જૂનું નામ દૂર કરીને નવું નામ કયા આધારે ચડાવવામાં આવ્યું, તે મોટો પ્રશ્ન બની ગયો છે.

નાયબ કલેક્ટરના તપાસના આદેશ
આ ગંભીર મામલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. નાયબ કલેક્ટર મેહુલ બરાસરાએ જણાવ્યું હતું કે, “આ ઘટના અમારા ધ્યાને આવી છે. પ્રાંત અધિકારી (સમી) અને મામલતદાર (હારીજ)ને તાત્કાલિક ખરાઈ કરીને નિયમ અનુસાર કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે.” હાલ મામલતદારના અહેવાલની રાહ જોવાઈ રહી છે, ત્યારબાદ જ આ બાબતે સ્પષ્ટતા થઈ શકશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સ્ટંટબાજી ભારે પડી: વાયરલ વીડિયો બાદ પોલીસની કાર્યવાહી, માજીની સ્કોર્પિયો કાર ડિટેઈન




