T20 World Cup Trophy:ભારતીય ક્રિકેટ ટીમમાં અત્યારે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. T20 વર્લ્ડકપમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભારતીય ખેલાડીઓ અને કોચ સતત ભગવાનના આશીર્વાદ લઈ રહ્યા છે.
T20 World Cup Trophy:ગણપતિ બાપ્પાના શરણે ચેમ્પિયન્સ

શનિવારે ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીર મુંબઈના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા હતા. તેમની સાથે ચમકતી વર્લ્ડકપ ટ્રોફી પણ હતી. બંનેએ વિધિવત પૂજા-અર્ચના કરી ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા.
- અમદાવાદમાં પણ કર્યા હતા દર્શન: આ પહેલા 8 માર્ચે ચેમ્પિયન બન્યા બાદ આ જોડી અમદાવાદના હનુમાન મંદિરે પણ દર્શન કરવા ગઈ હતી. જોકે, ખેલાડીઓની આ આસ્થા પર પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે સવાલો ઉઠાવતા વિવાદ પણ સર્જાયો હતો.
T20 World Cup Trophy:અભિષેક શર્માની વૈષ્ણોદેવી યાત્રા

બીજી તરફ, T20 રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બનેલા યુવા સ્ટાર અભિષેક શર્માએ પણ આધ્યાત્મિકતાનો માર્ગ પકડ્યો છે. 13 માર્ચે અભિષેક જમ્મુ-કાશ્મીરના કટરા સ્થિત મા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યો હતો.
- સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો: સફેદ કુર્તા-પાયજામા અને કપાળ પર તિલક સાથે અભિષેકે તેની યાત્રાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
- કેપ્શન: તેણે ફોટો સાથે ‘જય માતા દી’ લખીને પોતાની આસ્થા વ્યક્ત કરી હતી.




