Gandhinagar news :પાટનગરમાં ગત રાત્રિએ એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) માં ફરજ બજાવતી બે આશાસ્પદ યુવતીઓએ નભોઈ કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. કલાકોના સર્ચ ઓપરેશન બાદ ફાયર બ્રિગેડની ટીમે ઝુંડાલ કેનાલમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા છે.
Gandhinagar news :પરિવારને ફોન કરી મોતની છલાંગ લગાવી

મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ (26 વર્ષ, નરોડા) અને રિપલ રાકેશભાઈ રાવત (24 વર્ષ, થલતેજ) તરીકે થઈ છે. આપઘાત કરતા પહેલા બંને યુવતીઓએ પોતપોતાના પરિવારજનોને ફોન કરીને આત્યંતિક પગલું ભરવા જઈ રહી હોવાની જાણ કરી હતી. ગભરાયેલા પરિવારો કેનાલ પર પહોંચે તે પહેલા જ બંનેએ મોતની છલાંગ લગાવી દીધી હતી અને પોતાના મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા હતા.
Gandhinagar news :GMCમાં સાથે ફરજ બજાવતી હતી બંને સખીઓ
આ બંને યુવતીઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં થયેલી ભરતીમાં નોકરીએ લાગી હતી. જેમાં સેજલ વ્યવસાયવેરા વિભાગમાં અને રિપલ મહેકમ વિભાગમાં ફરજ બજાવતી હતી. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી, પરંતુ આ મિત્રતાનો આ પ્રકારે કરુણ અંત આવશે તેની કોઈએ કલ્પના કરી નહોતી.
Gandhinagar news :કલાકોની જહેમત બાદ મળ્યા મૃતદેહ
બનાવની જાણ થતા જ અડાલજ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. રાત્રિના અંધકારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પાણીનો પ્રવાહ તેજ હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હતી અને છેક ઝુંડાલ કેનાલ પાસેથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંને લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે.
આપઘાતનું કારણ અકબંધ
અડાલજ PI એલ. ડી. ઓડેદરાના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી કે મૃતકો પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. નોકરીનું ભારણ હતું કે અન્ય કોઈ અંગત સમસ્યા, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
એકસાથે બે યુવાન કર્મચારીઓના મોતથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફમાં અને મૃતકોના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક યુવતીઓનાં નામ
1. સેજલબેન જશવંતભાઈ પટેલ( ઉંમર વર્ષ 26)
2. રિપલબેન રાકેશભાઈ રાવળ ( ઉંમર વર્ષ 24)
આ પણ વાંચો :ડીંડોલીમાં ચકચાર: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળી બે સખીઓની લાશ,




