Chardham Yatra 2026: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026નો પ્રારંભ આગામી 19 એપ્રિલથી થવા જઈ રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને તમામ યાત્રીઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ વર્ષે શ્રદ્ધાળુઓની સુવિધા માટે સરકારે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા વહેલી શરૂ કરી દીધી છે, જ્યારે ઓફલાઈન રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂ થશે.
Chardham Yatra 2026: કયા ધામના કપાટ ક્યારે ખુલશે?

| ધામનું નામ | કપાટ ખુલવાની તારીખ | સમય |
| યમુનોત્રી અને ગંગોત્રી | 19 એપ્રિલ, 2026 | અક્ષય તૃતીયા |
| કેદારનાથ ધામ | 22 એપ્રિલ, 2026 | – |
| બદ્રીનાથ ધામ | 23 એપ્રિલ, 2026 | સવારે 6:15 વાગ્યે |
Chardham Yatra 2026: રજીસ્ટ્રેશન કરાવવાની 3 સરળ રીતો

શ્રદ્ધાળુઓ નીચેની ત્રણ પદ્ધતિઓ દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે:
- વેબસાઇટ: registrationandtouristcare.uk.gov.in પર જઈને એકાઉન્ટ બનાવી યાત્રા સ્લિપ ડાઉનલોડ કરી શકાય છે.
- મોબાઇલ એપ: ‘Tourist Care Uttarakhand’ એપ ડાઉનલોડ કરીને નોંધણી થઈ શકશે.
- વોટ્સએપ સુવિધા: મોબાઈલ નંબર 8394833833 પર “Yatra” લખીને મેસેજ મોકલવાથી ચેટબોટ દ્વારા નોંધણી પૂર્ણ કરી શકાય છે.
હેલ્પલાઇન નંબર: જો રજીસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી જણાય તો યાત્રીઓ 0135-1364 પર સંપર્ક કરી શકે છે.
Chardham Yatra 2026: છેલ્લા 5 વર્ષમાં શ્રદ્ધાળુઓનો ધસારો
કેદારનાથ ધામમાં વર્ષ 2025માં રેકોર્ડબ્રેક 17.68 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. છેલ્લા પાંચ વર્ષના આંકડા નીચે મુજબ છે:
- 2021: 1,97,997 (કોવિડ પ્રતિબંધો)
- 2022: 17,63,549
- 2023: 18,35,000 (નવો રેકોર્ડ)
- 2024: 14,35,341
- 2025: 16,60,224
બદ્રીનાથ માસ્ટર પ્લાન: એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ થશે
પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ બદ્રીનાથ ધામનો માસ્ટર પ્લાન અંતિમ તબક્કામાં છે. અંદાજે 424 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ પ્રોજેક્ટનું લક્ષ્ય એપ્રિલ 2026 સુધીમાં કામ પૂર્ણ કરવાનું છે. આ પ્લાન હેઠળ અલકનંદા રિવર ફ્રન્ટ, વન-વે લૂપ રોડ અને મંદિર પરિસરનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેથી આગામી 50 વર્ષની જરૂરિયાતોને પહોંચી વળાય.




