ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીના દર્શન #148RATHYATRA #rathyatra #gujarat #bhupendrapatel #bjp – અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભગવાનના દર્શન કરી આરતી ઉતારી હતી. રથયાત્રા પૂર્વે રાજ્યના મુખ્યમંત્રીએ ભગવાન સમક્ષ ભક્તિભાવ સાથે નમન કર્યુ. રથયાત્રાના પર્વને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. તેમણે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.
સીએમ ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીના દર્શનએ ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી

ભક્તો માટે રથયાત્રા દરમિયાન ખાસ વ્યવસ્થા
ભગવાનની સંધ્યા આરતી ઉતારી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રથયાત્રા દરમિયાન ભક્તોને કોઇ અડચણ ન પડે તે માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી અને ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે.
સરકાર અને પોલીસ દ્વારા સુરક્ષાની ચુસ્ત તૈયારી

દરેક ભાવિકને રથયાત્રાની શુભકામનાઓ પાઠવી
આ સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો સારી રીતે દર્શન કરી શકે તે માટે 17 જેટલા જન સહાયક કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે. તેમણે સમગ્ર ગુજરાતના ભક્તો અને નાગરિકોને રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે