વલ્લભવિદ્યાનગર : “ વસંતોત્સવ ” કલા ઉત્સવમાં વસંતના વધામણા કરાયા

0
471
વલ્લભવિદ્યાનગર : “ વસંતોત્સવ ” કલા ઉત્સવમાં વસંતના વધામણા કરાયા
વલ્લભવિદ્યાનગર : “ વસંતોત્સવ ” કલા ઉત્સવમાં વસંતના વધામણા કરાયા

વસંતોત્સવ vasant pamchmi સીવીએમ યુનિવર્સિટીની સીવીએમ કોલેજ ઓફ ફાઈન આર્ટસ વલ્લભવિદ્યાનગરમાં vasant pamchmi નિમિત્તેગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે સેમીનાર યોજાયો.

સીવીએમ કોલેજ ઓફ ફાઈન આર્ટસે પોતાની આગાવી પરંપરા મુજબ આ વખતે પણ vasant pamchmi કલા ઉત્સવનું આયોજન કરી વિદ્યાર્થીઓની રચનાત્મકતામાં વધારો થાય તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું. તેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે સાહિત્ય અને દ્રશ્યકલાઓના આંતર સંબંધો વિષયક એક સેમિનાર તા.૧૨ મી ફેબ્રુઆરીએ યોજાઇ ગયો.

જેમાં ચાવીરૂપ વકતવ્યપ્રસિદ્ધ કવિ હરીશ મીનાશ્રુ આપ્યું જેમાં બધાજ વિષયોને આવરી લઈ સાહિત્ય અને દૃશ્ય કળાઓના સબંધોને તારવી આપ્યા.સાહિત્ય અને નાટક વિશે ડો.મહેશ ચંપકલાલે નાટ્યશાસ્ત્રના ઉદાહરણ આપી ક્રીડનક અને સંવાદ વિષે વિષાદ વાત કરી અને પી.એસ.ચારીએ નાટકની પ્રસ્તુતિ સંદર્ભે દૃશ્ય અને ધ્વનિના મધ્યમથી રજૂઆત કરી ,સાહિત્ય અને પ્રસારણ માધ્યમો વિશે વિખ્યાત વક્તા અને કવિ તુષાર શુક્લએ પોતાની આગવી અને રસાળ શૈલીમાં વિષયને હળવાશથી ગંભીર રીતે મૂકી આપ્યો

vasant pamchmi સાહિત્ય અને લોકકલા અને સાહિત્ય અને શિલ્પ વિશે પ્રસ્તુતિ કરવામાં આવી

સાહિત્ય અને સિનેમા વિશે ડો.સત્યદેવ ત્રિપાઠીએ સિનેમા અને સાહિત્યના સંબંધો વિશે ચર્ચા કરી,સાહિત્ય અને લોકકલા અને સાહિત્ય અને શિલ્પ વિશે ડો.નિસર્ગ આહીરે પાવર પોઈન્ટ પ્રેજંટેશન દ્વારા પોતાના વિષયની પ્રસ્તુતિ કરી ,સાહિત્ય અને ચિત્રકલા વિશે કનુ પટેલ વ્યાખ્યાન આપ્યું,સાહિત્ય અને સ્થાપત્ય વિશે નીતેશ પટેલે વ્યાખ્યાન આપ્યું,સાહિત્ય અને છબીકલા વિશે અભિજિત વ્યાસ વ્યાખ્યાન આપ્યું.

અતિથિ વિશેષ તરીકે સહમંત્રી મેહુલભાઈ પટેલ અને જણાવ્યું કે ચારુતર વિદ્યામંડળ પોતાની આગવી પરંપરા અને ભાઈકાકાના ભીખાભાઇના આદર્શોને જાળવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકસ માટે કટિબધ્ધ છે. ઉદ્ઘાટક તરીકે સીવીએમ યુનીવર્સીટીના પ્રોવોસ્ટ ડો હિમાંશુ સોની ઉપસ્થિત રહ્યા અને કહ્યું સીવીએમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ માટે જ્ઞાન વિજ્ઞાન અને પ્રજ્ઞાનના ધ્યેય મંત્ર સાથે કાર્ય કરી રહી છે

vasant pamchmi તેમાં ગુજરાત સાહિત્ય અકાદમીનો સહયોગ મળે તે ગૌરવની વાત છે.સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખશ્રી ભીખુભાઈ પટેલના આશીર્વાદ અને પ્રેરણાથી,ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો.ભાગ્યેશ જહા અને મહામાત્ર શ્રી ડો.જયેન્દ્રસિંહ જાદવ અને ડેપ્યુટી રજીસ્ટ્રાર , દર્શક દેસાઈ અને હર્ષદભાઈ પટેલના સક્રીય સહયોગ થકી આ કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યું

vasant pamchmi કાર્યક્રમનું સંચાલન જાણીતા અભિનેત્રી દેવાંગી ભટ્ટ અને કમલ જોશીએ કર્યું હતું આ પ્રસંગે પ્રસિધ્ધ સાહિત્યકારો મણિલાલ હ પટેલ,ભગીરથ બ્રહ્મભટ્ટ ,અશોકપુરી ગોસ્વામી, vasant pamchmi જયેન્દ્ર શેખડીવાળા, મહેન્દ્ર ચોટલીયા,પૃથા સોની મહેતા ,રાજેશ્વરી પટેલ,નાટયકાર નવનીત ચૌહાણ,કુમાર ભોઇ,ભગિની સંસ્થાઓના આચાર્યો ઉપરાંત બહોળી સંખ્યામાં કલાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્મને સફળ બનાવ્યો હતો .