HomeBreaking Newsહવે કોઈ પેપર લીક નહીં થાય ! સરકાર લાવી રહી છે કાયદો

હવે કોઈ પેપર લીક નહીં થાય ! સરકાર લાવી રહી છે કાયદો

હવે પરીક્ષામાં કોઈ ગેરરીતિ નહીં થાય કે પેપર લીક થશે નહીં. પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે સરકારે ખાસ આયોજન કર્યું છે. પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને રોકવા માટે સરકાર નવો કાયદો લાવી રહી છે. આ કાયદાથી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ પર અંકુશ આવશે. આ માટે સરકારે સોમવારે લોકસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ, 2024’ રજૂ કર્યું હતું.

પેપર લીક

પેપર લીક : 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ

આ બિલમાં પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનાઓ માટે મહત્તમ 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં આ બિલને મંજૂરી આપી હતી. કાર્મિક રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આજે તેને ગૃહમાં રજૂ કર્યું હતુ.

પેપર લીક

 

પ્રસ્તાવિત બિલ વિદ્યાર્થીઓને નિશાન બનાવશે નહીં, પરંતુ સંગઠિત અપરાધ, માફિયા અને મિલીભગતમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આ બિલમાં એક ઉચ્ચ સ્તરીય તકનીકી સમિતિની રચના કરવાનો પણ પ્રસ્તાવ છે, જે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે ભલામણો કરશે.

પેપર લીક

આ એક કેન્દ્રીય કાયદો હશે અને તે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓ અને પરીક્ષાઓને પણ આવરી લેશે. અગાઉ, બજેટ સત્રની શરૂઆતમાં 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, સરકાર પરીક્ષાઓમાં ગેરરીતિઓને લઈને યુવાનોની ચિંતાઓથી વાકેફ છે. તેમણે કહ્યું, “આ દિશામાં કડકતા લાવવા માટે નવો કાયદો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments