Home State Gujarat નવરાત્રી : જામનગરમાં ભૂદેવો સાચવી રહ્યા છે સાડા ત્રણસો વર્ષ જૂની...

નવરાત્રી : જામનગરમાં ભૂદેવો સાચવી રહ્યા છે સાડા ત્રણસો વર્ષ જૂની પરંપરા

0
610
નવરાત્રી : જામનગરમાં ભૂદેવો સાચવી રહ્યા છે સાડા ત્રણસો વર્ષ જૂની પરંપરા
નવરાત્રી : જામનગરમાં ભૂદેવો સાચવી રહ્યા છે સાડા ત્રણસો વર્ષ જૂની પરંપરા

જામનગરમાં ભૂદેવો સાચવી રહ્યા છે 350 વર્ષ જૂની પરંપરા અને જૂની જલાની જાર ગરબીમાં ઈશ્વર વિવાહ યોજાય છે ત્યારે જામનગર વાસીઓ આ ગરમીમાં નવરાત્રી સમયે ઉમટી પડે છે. જામનગરમાં ભૂદેવ પરંપરા પ્રમાણે વસ્ત્રમાં સજ્જ એટલેકે અબોટિયું, ઝભ્ભો, પહેરીને જલાની જાર ઈશ્વરવિવાહનો છંદ ગાઈને ગરબે રમે છે અને આ અદ્ભુત દ્રશ્ય નિહાળવા સ્થાનિકો ઉમટી પડે છે. આ પરંપરા આ વખતે પણ ભૂદેવો દ્વારા સચવાઈ છે . આ ગરબાની ખાસિયત એ છે કે માત્ર પુરુષો જ આ ગરબામાં જોડાઈ શકે છે અને નવરાત્રીમાં રાત્રે બાર વાગ્ઈયાથી ઈશ્વર વિવાહનો છંદ ગાવાથી શરુ થાય છે. અને ગરબીમાં રાસ લેવાનું શરુ થાય છે. આ પરંપરા 350 વર્ષથી અહીના ભૂદેવ સાચવી રહ્યા છે. ભૂદેવો અબોટિયામાં સજ્જ થઈને માથે તિલક કરીને ઈશ્વર વિવાહના છંદ પોતાના સ્વરમાં સામુહિક રીતે ગાય છે અને ગરબે ઘૂમે છે. રાત્રે બાર વાગ્યાથી શરુ થયેલા ઈશ્વર વિવાહ પરોઢિયે ચાર વાગ્યા સુધી ચાલે છે. જવાની જારમાં યોજાતી ગરબીમાં પુરુષોની 350 વર્ષ જૂની ગરબીમાં માતાજીની આરાધના કરવા માટે ગરબી બનાવવામાં આવી છે જે 350 વર્ષ જૂની છે અને તેને સાચવીને રાખી છે જે ચાંદીમાં મઢાવીને રાખી છે.

માતાજીનો છંદ ગાઈને જયારે ભૂદેવો ગરબા રમવાનું શરુ કટે છે ત્યારે માં જગદંબાની ભક્તિ , શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સર્જાય છે અને આદ્યાત્મિક ઉર્જા અહી હાજર તમામ શ્રદ્ધાળુઓ અનુભવે છે. પરંપરા મુજબ ગરબીની ઉપર એક નાનો ગરબો મુકવામાં આવે છે અને જ્યોત સાથે ગરબામાં રાખવામાં આવે છે. આ ગરબાની ખાસિયત એ છેકે કોઈ પણ પ્રકારના વાજિંત્ર, લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને ઈશ્વર વિવાહના ગાયન વખતે એક સૂરમાં જયારે છંદ ગવાય છે ત્યારે જાણે સાક્ષાત માતાજી અને શિવ ઉપસ્થિત હોય તેવો અહેસાસ થતો હોય છે.

આપને જણાવી દઈએ કે ગુજરાતમાં આજે પણ શેરી ગરબાની પરંપરા સચવાઈ છે . અનેક જગ્યાએ પારંપરિક ગરબા યોજાય છે જેમાં પોરબંદરનું ભદ્રકાળી મંડળ પણ આજ રીતે કોઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ કર્યા વિના ગરબાની રમઝટ બોલાવે છે જેમાં પારંપરિક પોષક પહેરીને માત્ર ભાઈઓ અને બાળકો જ ગરબામાં ભાગ લઈને માં જગદંબાની આરાધના કરે છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે