અમૃત વિહાર શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

0
136

દક્ષિણ દિલ્હીના પુષ્પ વિહારમાં આવેલી અમૃત વિહાર શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.આ અંગેની જાણ થતા જ પોલીસ અને અન્ય કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.શાળામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.શાળામાં બોબ્મ મુકવામાં આવ્યો હોવાનો શાળાને ઈમેલ મળ્યો હતો.ત્યાર બાદ શાળાને ખાલી કરવામાં આવી હતી. અને શાળામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે સ્કૂલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.પોલીસે ઈમેલ અંગે તપાસ હાથ ધરી છે