અમદાવાદના નવરંગપુરામાં માલાબાર જવેલર્સમાં ચોરી

0
142

અમદાવાદના નવરંગપુરામાં માલાબાર જવેલર્સમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. આ સમાંગ્રહ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. રૂપિયા 3.65 લાખ કિંમતની સોનાની ચેઇનની ચોરી બે ઇસમો ફરાર થયા છે. એક મહિલા અને પુરુષ જવેલર્સમાં આવી સોનું જોવાનું કહી હજાર કારીગરની નજર ચૂકવી ચોરીને અંજામ આપે છે. આ સમગ્ર ચોરીની ઘટના CCTV પણ સામે આવ્યા છે. જ્વેલર્સમાં ચોરી કરી ફરાર થયેલા આ ઇસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે  CCTV માં નજરે ચડેલા આ આરોપીઓની ઓળખ કરવાની સાથે તેમણે પકડી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.