HomeDeshતમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લામાં અકસ્માત,7 લોકોના મોત

તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લામાં અકસ્માત,7 લોકોના મોત

તમિલનાડુમાં અકસ્માત

કારને નડ્યો અકસ્માત

અકસ્માતમાં 7 લોકોના મોત

પોલીસે વધુ તપાસ હાથ ધરી

તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીંના ચેંગામમાં કાર અને લોરી વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. ચેંગામ પોલીસનું કહેવું છે કે અકસ્માત રવિવારે સવારે થયો હતો. કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે. તપાસ બાદ જ અકસ્માતનું સાચું કારણ બહાર આવશે.

ટક્કર એટલી જોરદાર હતી કે સાતેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પીડિતોની ઓળખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી મુજબ તમામ લોકો લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા.

લોરી ચાલક કસ્ટડીમાં

આ માર્ગ અકસ્માત અંગે ચેનગામ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ અકસ્માતમાં લોરી ચાલકનો જીવ બચી ગયો છે, તેને સામાન્ય ઈજાઓ થઈ છે. હાલ લોરી ચાલકની અટકાયત કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારે રોડ પર કાબુ ગુમાવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સંકેત મળ્યા છે કે તેજ ગતિએ જઈ રહેલી કારે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. જો કે આ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લામાં સર્જાયેલા અકસ્માતમાં 7 લોકોના જીવ ગયાં છે.ત્યારે પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને અકસ્માતનો કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યાં  છે

વાંચો અહીં રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments