જામ ખંભાળીયામાં પ્રાથમિક શાળાનું નવ નિર્માણ કરાયું

0
105

ડો. જગદીશભાઈ ત્રિવેદીના આર્થિક સહયોગથી કરાયું શાળાનું નિર્માણ

જામ ખંભાળીયામા રેલ્વે સ્ટેશન રોડ પર વર્ષો જૂની પ્રાથમિક શાળા મિડલ સ્કુલ ખુબ જ જજૅરીત હાલતમાં હતી. ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર લેખક તથા સમાજસેવક ડો, જગદીશભાઈ ત્રિવેદીના આર્થિક સહયોગથી રીનોવેશન કરાવી નવ નિર્માણ કરવામાં આવ્યું છે .આ મિડલ સ્કુલના ઉદ્દઘાટન પ્રસંગે જાણીતા કથાકાર રમેશભાઇ ઓઝાના વરદ હસ્તે  ખુલ્લી મુકવામાં આવી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા.શિક્ષણમંત્રી કુબેરભાઇ ડિંડોર, સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ હતી.