કેન્દ્ર સરકારે કોવિડ-19 સક્રમણ વધતા જાહેર કરી માર્ગદર્શિકા

0
126

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને સતર્ક રહેવા જણાવ્યું

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે બપોરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. વર્ચ્યુઅલ રીતે યોજાયેલી આ બેઠકમાં કોરોનાને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ  આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને સતર્ક રહેવા અને કોવિડ-19 મેનેજમેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની સલાહ આપી છે. તેમણે રાજ્યના આરોગ્ય મંત્રીઓને 10 અને 11 એપ્રિલે તમામ હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મોક ડ્રીલ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત 8 અને 9 એપ્રિલે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય અધિકારીઓ સાથે આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા પણ તાકીદ કરી છે.