અમદાવાદઃમનકી બાત જોવાનું આયોજન કરાયુ

0
194

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનકી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂર્ણ થયા છે.અમદાવાદમાં પણપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડ લોકોએ સાંભળ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 100 માં એપિસોડનું લાઈવ  પ્રસારણ જોવા માટે રાજ્ય સરકાર તમેજ ભાજપ સંગઠન દ્વારા ઠેર ઠેર લાઈવ પ્રસારણ જોવાનું આયોજન કરાયુ હતું.જે અંતર્ગત અમદાવાદમાં પ્રદેશ ભાજપ સહકારીતા સેલના સંયોજક તેમજ ગુજકોમાસોલના વાઇસ પ્રેસિડન્ટ બીપીન પટેલ દ્વારા તેમના સહકારિતા સેલના કાર્યાલય પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના  મનની વાત કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિસ્તારના યુવાનો, મહિલા તેમજ વડીલોએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.ભાજપ સહકાર સેલના સંયોજક બિપિનભાઈ પટેલ દ્વારા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમથી તમામ લોકો જોડાઈ શકે છે.અને પ્રધાનમંત્રીના  વિચારોથી લોકોને પ્રેરણા મળે છે. વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ